SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ચાલી શકે ? કારણ કે, સચિત્તનું મર્દન જીવધાતના હેતુભૂત છે. સમાધાન-કોઈક કહે છે કે તે પુષ્પવૃષ્ટિ દેવતાએ કરેલી છે માટે સચિત નથી, કિંતુ અચિત્ત છે. બીજાઓ કહે છે તેને નહિ, તે વાત સત્ય નથી. દેવતાયે કરેલ છતાં પણ તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ છે. અન્ય કહે છે તેનાં પુષ્પો હોય છે ત્યાં ત્યાં સાધુ સાધ્વીયો ચાલતા નથી. અપર કહે છે કે – નહી, સર્વ જગ્યાયે પુષ્પો હોય છે પરંતુ કારણ વિના મુનિયો ચાલતા નથી. ગીતાર્થ મહારાજા ફેંસલો આપે છે કે-મંદર, મોગરો, માલતી, મચકુંદ, ગુલાબ વિગરે પાંચ પ્રકારના સચિત્ત સુગંધી પુષ્પોની દેવતાઓ સમવસરણમાં જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે છે, તે સચિત્ત પુષ્પો જ છે, પરંતુ સમવસરણમાં વિદ્યમાન જીવોથી, ગમનાગમનમાં ચંપાયા છતાં પણ તે જીવો મરતા નથી, કિલામણા પામતા નથી, પરંતુ તીર્થકરમહારાજાના અતિશયથી ઊલટા વધારે પ્રફુલ્લિત થઈ, મહાઆનંદ પામે છે, માટે જલસ્થલ સંબંધી તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ છે. ૩. દિવ્યધ્વનિ - ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભગવાનની વાણીનો માલ કોષ રાગ દેવતાઓ વીણાનો ધ્વનિ દિવ્ય શોભે છે. શંકા-રાગો તો ઘણાં છે, છતાં દરેક ભગવાન માલકોષ રાગથી દેશના કેમ આપે છે. ? બીજા રાગમાં દેશના કેમ આપતા નથી ? સમાધાન- કેટલાયેક રાગોના ગુણો રાગ પ્રમાણે જ હોય છે, તેથી તે રાગો ગાવા બોલવા જ જોઈએ જીઓ. (૧) ભૈરવ રાગઃ આ રાગનો ગુણ ભમાવવાનો છે. આ રાગ બરાબર કોઈને ગાતા આવડતો હોય અને ઘાણી ઉપર બેસી યથાર્થ ભૈરવીરાગ કોઈ ગાતો હોય તો, વિના બળદે ઘાણી તેની મેળે જ ફરવા માંડે છે, તે ભૈરવી રાગનો ગુણ છે. ન 3 - For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy