SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ રાજાને-રંકપણે ગણીને શ્રીજિનેશ્વરની આજ્ઞાને-કટુક વચનવડે ગણીને ધર્મના સાધનભૂત-મહામહેનતે પ્રાપ્ત થએલ માનુષ્ય જન્મને ધર્મકરણી સિવાય ફોગટ ગુમાવી દે છે તેવા જીવો સંસારના પારને કોઈપણ પ્રકારે પામી શકતા નથી. (ઉપદેશચાલીશમો.) ઇન્દ્રિયોનું દમન ઘોડાના વેગને પેઠે ચંચલ, દુર્દમ અને લોકોને ઉસુકત બનાવનારી પાંચે ઇંદ્રિયોનું દમન કર, પરંતુ હે જીવ ! તું તેને છૂટી ન મુક. સરાગ ગીતશાસ્ત્રને વિષે પોતાના ઉત્કર્ષપણાની વાત સાંભળવામાં પોતાના હિતની ઇચ્છા કરવાવાળો, તુંતે થકી પોતાના કાનને નિવર્તમાન કરે. સ્ત્રિયાદિકના રૂપને જોવાને વિષે તું તારી દ્રષ્ટિ ફેરવ નહિ, કારણ કે તે તારા નિર્મલપણામાં મલિનતા ઉત્પન્ન કરશે. જો તારે જીભને જીતવી હોય તો તું સરસ આહારને વિષે રસનેંદ્રિયના લંપટપણાને દૂર કર. | દુર્ગધને ત્યાગ કરવાથી, સુગંધને ગ્રહણ કરવાથી સુકુમારસ્પર્શનો જે કામુક થતો નથી, તે જ માણસ, પુરુષરત્નની કોટિને વિષે ગણાઈ શકે છે. જે માણસ વિષયથકી નિર્વતમાન થાય છે, તથા તમામ ઇંદ્રિયોનો રોધ કરે છે, તેનો જ માનુષ્યજન્મ સાર્થક રીતે સફળ થયો ગણી શકાય છે. પાંચ ઇંદ્રિયોને કાબૂમાં રાખી, ધર્મકર્મમાં તત્પર રહેનાર માણસને, મુક્તિસુખની પ્રાપ્તિ થવી દુર્લભ, દુષ્કર નથી, કિંતુ સહજ માત્રમાં છે. ૧૨૧ ૧૨૧ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy