SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તથા આચારાંગ સૂત્રવૃતૌ. ૩૯.જે સાધુ આપણી પ્રભુતા વાંછે તે દેશ પાસસ્થો. ઈતિ ઉત્તરાધ્યયન ચૂર્ણો. તથા આવશ્યક સૂત્રે. ૪૦. અહંકાર રાખે તે પાસસ્થો ઈતિ પ્રશ્નવ્યાકરણ અવચૂર્ણો તથા ઉપદેશમાળાટીકાયામ્. ૪૧. સ્ત્રીને જે સાધુ વખાણે તે પાસસ્થો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૪૨.આપણી પૂજાપદ વાંછે તે પાસન્થો. દશવૈકાલિક ઉપનિર્યુકતો. . ૪૩.પોતાની સ્તુતિ પૂજા પ્રભાવના વાંછે તે પાસસ્થો. ઈતિ ઉપદેશમાલાયાક્ વિજયાદિક ચાર અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટા ચાર ભવ જીવાભિગમ સૂત્રમાં કહ્યા છે, અને નવતત્વાર્થે આઠ મનુષ્યના, આઠ દેવતાના, ફરી આઠ મનુષ્યના, એમ કહ્યાં છે.પશવણા સૂત્રમાંસંખ્યાતા(ચોવીશ) ભવ કહ્યાં છે. ચક્રવર્તી, માગધાદિ તીર્થને વિષે જુદા જુદા અઠ્ઠમ કરે. ૧. માગધ, ૨. વરદામ, ૩. પ્રભાસ, ૪. વૈતાઢ્ય,પં. મિસા, ૬. વિદ્યાધર, ૭. સિંધુ, ૮. ચુલ્લ હિમવંત, ૯. ગંગા, ૧૦. નવનિધાન, ૧૧. અયોધ્યાથી પ્રયાણ કરતાં. એ પ્રમાણે જંબુદ્વિપ પન્નતિમાં તથા શાંતિનાથ ચરિત્રમાંકહેલ છે. તપગચ્છના શ્રાવકો પ્રથમ ઈર્યાવહી પડિક્કમી, મુહપત્તિ પડિલેહી, પછી સામાયિક ઉચ્ચરે છે. ઈતિ મહાનિશીથસૂત્રે. કમળપ્રભા આચાર્યે સત્ય બોલી તીર્થંકરનામકર્મના દલિયા બાંધ્યા, પણ પાછળથી સ્ત્રી(સાધ્વી સંઘટ્ટથી)તેને વિખેરી નાખી અનંત સંસાર ઉત્સૂત્રપણાથી ઉપાર્જન કર્યો. મહાનિશીથ સૂત્રે. ભરતને સુંદરી અને બાહુબલિને બ્રાહ્મી પરણી છે એવો લેખ આવશ્યકસૂત્રે મલયગિરી વૃતિમાં છે. દશાર્ણભદ્રના અધિકારે હાથી વિકુા, તે ઈંદ્રના આદેશથી એરાવણે વિકુર્વ્યા. એમ આવશ્યકચૂર્ણિમાં કહ્યુ છે, અને આવશ્યક ૨૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy