________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે વૈમાનિક દેવોની દેવીયોનું આયુષ્ય કહે છે.
પ્રથમ દેવલોકની પ્રગૃહીત દેવીનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૭ સાત પલ્યોપમનું હોય છે.
અપ્રગૃહિત દેવીનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૫૦ પચાસ પલ્યોપમનું હોય છે.
બીજા દેવલોકની પ્રગૃહિત દેવીનું આયુષ્ય જઘન્યથી ૧ પલ્યોપમ ઝાઝેરું તથા ઉત્કૃષ્ટ નવ પલ્યોપમનું હોય છે.
અપ્રગૃહિત દેવીનું જઘન્ય. આયુષ્ય એક પલ્યોપમ ઝાઝેરૂ તથા ઉત્કૃષ્ટ પપ પંચાવન પલ્યોપમનું હોય છે.
કૃષ્ણરાજીનું લોકાતીત દેવતાનું આયુષ્ય ૮ આઠ સાગરોપમનું હોય છે.
સૌધર્મ અને ઇશાન દેવલોક નીચે કિલ્બિષિ દેવોનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે.
સનકુમાર અને માહેદ્રદેવલોક નીચે કિલ્બિપી દેવોનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું જાણવું.
લાંતક દેવલોક નીચે કિલ્બિષિ દેવોનું આયુષ્ય ૧૩ સાગરોપમનું હોય છે.
એવી રીતે દેવોના આયુષ્ય દ્વારનો વિચાર કહ્યો. હવે અઢારમું છ પ્રકારની પર્યાપ્તિના ભેદ બતાવે છે. ૧. આહાર પર્યાપ્તિ. ૩. ઇંદ્રિય પર્યાપ્તિ. ૫. ભાષાપર્યાપ્તિ. ૨ શરીરપર્યાપ્તિ ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ૬. મનપર્યાપ્તિ.
એ પ્રમાણે છે પર્યાપ્તિ કરી છે. તેમાં ત્રણ પર્યાપ્તિ બાંધ્યા વિના કોઈ જીવ મરે નહિ. (પરલોકે ન જાય) હવે જે જીવની જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂરી બાંધીને મરે તો પર્યાપ્તો કહીયે, અને જેની જેટલી પર્યાપ્તિ છે તેટલી પૂરી બાંધ્યા વિના મારે તો અપર્યાપ્યો કહીયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org