________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૫. કર્મભૂમિક્ષેત્રના, પ૬. અંતરદ્વીપલેટાના, ૩૦. અકર્મભૂમિક્ષેત્રના, કુલ મળીને ૧૦૧ એક સો ને એક થાય છે. તેના ભેદ નીચે મુજબ બતાવે છે.
૧. સંમૂચ્છિક મનુષ્ય તે ચૌદ સ્થાનકે ઉત્પન્ન થાય છે, તેનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, અને અંતર્મુહુર્તનું આયુષ્ય હોય છે, તેને સાત અગર આઠ નવ પ્રાણ હોય છે, અને તેઓ ચર્મચક્ષુવાળાથી દેખવામાં આવી શકે નહિ.
૨ બીજા ગર્ભજ મનુષ્ય માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા ૧૦ પ્રાણવાળા હોય છે, એવી રીતે મનુષ્યના બે ભેદ કહ્યા. ૨૨ હવે વાણવ્યંતરના ભેદ બતાવે છે.
તેમાં પ્રથમ વ્યંતર નિકાયના નામ બતાવે છે. ૧ પિશાચ, ૩ યક્ષ, ૫ કિન્નર ૭ મહોરમ ૨ ભૂત, ૪ રાક્ષસ ૬ ડિંપુરૂષ ૮ ગંધર્વ - એ આઠ પ્રકારે છે.
બીજી વાણવ્યંતરની નિકાયના નામ બતાવે છે. ૧ અણપની ૪ ભૂતવાદી, ૭ કોહંડ, ૨ પણ પત્ની ૫ કંદી,
૮ પતંગ ૩ ઇસીવાદી, ૬ મહાકંદી
એ આઠ પ્રકારે છે, ૨૩ હવે જ્યોતિષીના ભેદ બતાવે છે. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા.
એ પાંચ ભેદો જ્યોતિષીના છે. ૨૪ હવે વૈમાનિકના ભેદો બતાવે છે.
વૈમાનિક દેવોના બે ભેદ છે, ૧ કલ્પ. ૨ કલ્પાતીત
૧ કલ્પ એટલે સ્વામી સેવકપણાના આચારવાળા હોય છે તે બાર દેવલોકવાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org