________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ
વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ
વિવિધ વિષa વિચાર માળા | ભાગ ૫
ગુરૂજી-હે શિષ્ય ! તું જાણે છે કે જ્ઞાન વિના ભગવાનના સિદ્ધાંત-શુદ્ધ વચનો કોઈ પણ પ્રકારે જીવોથી જાણી શકાતા નથી. ભગવાનની વાણી અપાર છે. કેવલ જ્ઞાની મહારાજા સિવાય ભગવાનની વાણીનો કોઈ પણ જીવ પાર પામી શકતો નથી. જ્ઞાન વિના જીવો કોઈ પણ પ્રકારના વસ્તુતત્ત્વના પારને પામી શકતા નથી. જીવો અને કર્મનો સંબંધ, જીવોની ગતિ અને આગતિ તેમજ ચાર ગતિમાં પરિભ્રમણ, કર્મની બાહુલ્યતા, હલ્કા કર્મ શાથી થાય છે, અનાદિ કાળથી જીવો ચોવીશ દંડકને વિષે પરિભ્રમણ શાથી કરે છે, અને કર્મથી મુક્ત થઈ નિર્વાણદશા ક્યારે કેવી રીતે પ્રાપ્ત કરે છે તે તારે સમજતા શીખવું જોઈએ.
શિષ્ય-હે ગુરૂમહારાજ ! આપે આ ઉપદેશ મને બહુજ સારો કર્યો. ભગવાન ! આપ જાણો છો કે હું મતિમંદ છું, અને આપના વચનામૃતના સિંચન કર્યા સિવાય મારી જડતા કોઈ પણ પ્રકારે દૂર થવાની નથી, તો આપ સાહેબ મારા ઉપર કૃપા કરી હું જે પ્રશ્નો આપને પુછું તેનો વિસ્તારથી ખુલાસો કરી મારૂં મતિમંદપણું દૂર કરો.
ગુરૂજી-સારૂ, તારે જે બાબત પૂછવું હોય તે સુખેથી પૂછ. હું
૧
ભાગ-૫ ફેમી-૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org