________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
મહાવીરસ્વામી મહારાજાનો ઘણો ખરો વિહાર રાજગૃહી, ચંપા, પૃષ્ટચંપા (જે હિમાલય પહાડની પાછાડી તિબેટમાં હતી) વિશાલા, મિથિલા, કૌશંબી, મોરાકસન્નિવેશ, વાણિજ્યગામ, અસ્થિકગામ, ભદ્રિકાનગરી, આલંબિકાનગરી, સાવત્થીનગરી, વજભૂમિ, પાવાપુરી, કોઈક વખત ઉત્તર પૂર્વમાં, કોઈક વખત ગંગા જમુનાની આસપાસ, કોઈક વખતે નયપાલ લગભગ, કોઈક વખત, કનકપલ તાપસના આશ્રમની આસપાસ, કોઇક વખત હિંદમાં પૂર્વઉત્તર તરફ, અને કેવલજ્ઞાન થયા પછી સૌરાષ્ટ્રદેશને વિષે પણ વિચર્યા હતા.
(મહાવીરસ્વામી મહારાજાના વખતમાં તેમના ભક્ત રાજાઓ)
-
૧. રાજગૃહનગરનો સ્વામી શ્રેણિક-ભંભસાર. ૨. ચંપાનગરીનો સ્વામી-શ્રેણિકપુત્ર કોણિક-અશોકચંદ્ર ૩. વૈશાલીનગરીનો સ્વામી ચેટક મહારાજા. ૪. કાશીદેશના રાજા નવમલ્લિકજાતિ. ૫. કોશલદેશના રાજા નવલચ્છિકજાતિ.
પોલાસપુરનો રાજા વિજયરાજા ૭. આમલકલ્પા નગરીનો સ્વામી શ્રેતરાજા ૮. વીતભયપત્તનનો સ્વામી ઉદાયન રાજા. ૯. કૌશંબી નગરીનો સ્વામી ઉદાયન વત્સરાજા. ૧૦. ક્ષત્રિયકુંડ નગરીનો સ્વામી નંદીવર્ધન રાજા. ૧૧. ઉજજયિની નગરીનો સ્વામી ચંડપ્રદ્યોતન રાજા. ૧૨. હિમાલય પર્વતની ઉત્તર તરફ પૃચંપા-ચંપાનો શાલ-મહાશાલ.
બને ભાઇયો રાજા. ૧૩. પોતનપુરનો સ્વામી પ્રસન્નચંદ્ર રાજા.
૧૫૫
૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org