________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨૫. વૈક્રિયલબ્ધિ, મોટા રૂપ, મોટા મેરૂ સરિખા કરે છે તથા નાના રૂપ, કુંથુઆના સરિખા કરે તે.
૨૬. અક્ષણ મહાનસી લબ્ધિ, આહાર થોડો હોય, પરંતુ તે આહારમાં અંગૂઠો રાખવાથી જયાંસુધી અંગુઠો રાખે ત્યાં સુધી આહાર ગમે તેટલો વાપરે પરંતુ તે આહાર ખુટે નહિ,
૨૭. પુલાક લબ્ધિ, સંધાદિકનું કાર્ય પડે ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે,
૨૮. મહાનસી લબ્ધિ, અક્ષણ મહાનસી લબ્ધિમાં આવી જાય છે તે,
(સમવસરણ વિચાર)
૧ આદિનાથજીનું સમવસરણ, ૪૮ ગાઉનું હોય છે. ૨ અજીતનાથજીનું સમવસરણ ૪૬ ગાઉનું હોય છે. ૩ સંભવનાથજીનું સમવસરણ ૪૪ ગાઉનું હોય છે. ૪ અભિનંદનસ્વામીનું સમવસરણ, ૪૨ ગાઉનું હોય છે. ૫ સુમતિનાથજીનું સમવસરણ, ૪૦ ગાઉનું હોય છે, ૬ પદ્મપ્રભુસ્વામીનું સમવસરણ, ૩૮ ગાઉનું હોય છે, ૭ સુપાર્શ્વનાથજીનું સમવસરણ, ૩૬ ગાઉનું હોય છે. ૮ ચંદ્રપ્રભસ્વામીનું સમવસરણ ૩૪ ગાઉનું હોય છે. ૯ સુવિધિનાથજીનું સમવસરણ ૩૨ ગાઉનું હોય છે, ૧૧ શ્રેયાંસનાથજીનું સમવસરણ ૨૮ ગાઉનું હોય છે. ૧૨ વાસુપૂજયસ્વામીનું સમવસરણ ૨૬, ગાઉનું હોય છે, ૧૩ વિમલનાથજીનું સમવસરણ ૨૪ ગાઉનું હોય છે,
M૧૪૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org