________________
જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો
એટલે ( વિવિધ વિષયવિચારમાળા
ન ભાગ -૧ થી ૮ + સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદક: પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમો અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થયેલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અદ્ભુત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં)
આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ
દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org