SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નહિ મળવાથી તેમાં રહે તો વાંધો નહિ, ૩ વિહાર કરતાં સૂર્ય આથમી ગયો હોય તો નાગકુમાર જક્ષ વિગેરેના મંદિરમાં ભેગા રહે તો વાંધો નહિ, ૪ સાધુ સાધ્વી વિહાર કરતાં ચોર વસ્ત્ર પાત્ર ખેંચી લે તો ભેગા રહેવામાં વાંધો નહિ, ૫ અનાર્ય પુરૂષ ઉપસર્ગ કરે તો શીયલ રાખવાને માટે ભેગા રહે તો હરકત નહિ. • પાંચ કારણે સાધુ સાધ્વીની સંભાળ કરે તો હરકત નહિ : ૧ સંયમથી પડેલા મનવાળાને સ્થિર કરવા સારૂ સંભાળ કરે, ૨ અત્યંત રોગથી પીડિત હોય તેને સ્થિર કરવા સારૂ સંભાળ કરે, ૩ વાયુના રોગથી પરવશ હોય તો સ્થિર કરવા સંભાળ કરે, ૪ યક્ષના પરવશપણામાં પડી હોય તો સ્થિર કરવા સારૂં સંભાળ કરે, ૫ પુત્ર તથા તેની માતાએ સંયમ લીધેલ હોય તેની સારવાર કરે. • પાંચ કારણે સાધ્વીનો સંઘો કરે તો ભગવાનની આજ્ઞાને અતિક્રમણ ન કરે : ૧ હાથી સુંઢમાં ઘાલી સાધ્વીને લઈ જતો હોય તો પકડી રાખવાથી, ૨ ખાડમાં પડી જતી હોય તો પકડી રાખવાથી, ૩ પાણિમાં ડુબતી હોય તો પકડી રાખવાથી, ૪ ભ્રમરી આવતી હોય તો પકડી રાખવાથી, ૫ ચકી આવતી હોય ને પડતી હોય તો પકડી રાખવાથી. • પાંચ પ્રકારના પ્રાયશ્ચિત : ૧ ગુરૂ માસ તે ત્રીસ દિવસનું, ૨ લઘુમાસ તે સત્તાવીશ દિવસનું, ૩ ગુરૂચૌમાસ-તે ત્રીસ દિવસનો માસગણીને ચાર માસનું, ૪ લઘુચૌમાસ-તે સત્તાવીશ દિવસનો માસ ગણીને ચાર માસનું, ૫ આરોપણા તે ફરીને પંચ મહાવ્રત ઉચરે. • પાંચ પ્રકારની આરોપણા - ૧ પઠવિયા- તે ઘણા પ્રાયશ્ચિત્ત માથે આવેલા છે, ૨ ઠવિયા-તે ઘણામાંથી પ્રથમનું પ્રાયશ્ચિત લે તે, ૩ કસિયા-તે જેટલા પ્રાયશ્ચિત ગુરૂ આપે તેને અખંડ પણે પાળે, ૪ ૪૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy