SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કાંઇક પરિણામ કુણા થાય, વ્યાખ્યાનમાંથી ઉઠયા પછી કાંઇજ નહિ, તે જીહ મેઘ જેવા. • વૃક્ષો-૧ વૃક્ષ ઉંચાને ફળ નીચા-ખજૂર દ્રાક્ષ બીજોરાદિક ૨ ફળ ઉંચાને વૃક્ષ નીચા-નાળીયેરાદિક, ૩ વૃક્ષ ઉંચાને ફળ ઉંચા તાડાદિક ૪ વૃક્ષ પણ નીચે ને ફળ પણ નીચા રીંગણા આદિક. • પુરૂષો-૧ પુરૂષ જાતિના ઉંચા પણ કરણના નીચા-બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેઠે, ર પુરૂષ જાતિના નીચા પણ કરણિના ઉંચા હરિકેશી, બળમુનિના પેઠે, ૩ પુરૂષ જાતિથી પણ ઉંચાને કરણિયાથી પણ ઉંચાઆદિનાથ તથા ભરત ચક્રીના પેઠે, ૪ પુરૂષ જાતિના પણ નીચા અને કરણીના પણ નીચા કાલસીરિક કસાઈના પેઠે. • બળ-૧ એકને તપસ્યાનું બળ છે પણ આહારનું બળ નહિ, ૨ એકને આહારનું બળ છે, પણ તપસ્યાનું બળ નહિ, ૩ એકને આહારનું તથા તપસ્યાનું બન્નેનું બળ છે, ૪ એકને આહારનું પણ બળ નહિ, ને તપસ્યાનું પણ બળ નહિ. • સાધુઓ-૧ રત્નના ગોળા સમાન ગણધરદેવ, ૨ હીરાના ગોલાસમાન સાધુ નિગ્રંથ, ૩ સોનાના ગોળાસમાન- સાધુલક્ષણ યુક્ત ઉપયોગી સાધુ, ૪ રૂપાના ગોળાસમાન સામાન્ય સાધુ. • ધર્મિષ્ઠ પુરૂષો-૧ માખણનો ગોળો તાપે મૂકવાથી જેમ ગળી જાય, તેમ કોઈક જીવ બીજાના મિથ્યાવચનથી ધર્મને છોડી દે, ૨ લાખનો ગોળો તાપે મૂકવાથી ઓગળે નહિ, પણ અગ્નિ આગળ મૂકીયે તો ગળી જાય, તેમ કોઈક જીવ પુરૂષના વચન સાંભળી ધર્મને છોડે, પણ ગાશી પ્રમુખ દુર્વચન સાંભળીને ધર્મ છોડી દે, ૩ કાટનો ગોળો, તાપે મૂકવાથી ગળે નહિ, તેમજ અગ્નિના પાસે મૂકવાથી ન બળે, પણ અગ્નિમાં નાખવાથી બળી જાય તેમ કોઈક જીવ વચનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy