SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રકારનાં ધાન્ય તથા ચોખા ઘઉ તથા યુગંધરી આદિ સામા મળે તો સર્વ કાર્ય સિદ્ધ કરનાર થાય પરંતુ મગ, અડદ, તલ, સરસવ, રાઈ , તથા જેમાં તેલ હોય એટલે જેને પીલતા તેમાંથી તેલ નીકળે તેવા ધાન્યો સામા મળે તે ખરાબ. ૨૨ પરગામ પ્રત્યે ચાલતાં કાંગ આદિ તુચ્છ ધાન્ય સામું મળે તો અલ્પ લાભ થાય. ર૩ પરગામ પ્રત્યે ચાલતાં પીઠાનું અન્ન સામું મળે તો તમામ ખરાબ. ૨૪ પરગામ પ્રત્યે ચાલતાં રાધેલું અન્ન સામું મળે તો તમામ કાર્યને સિદ્ધ કરનારું થાય. ૨૫ પરગામ પ્રત્યે ચાલતાં કોરાઇ ગયેલું અન્ન સામુ મળે તે કામ સિદ્ધ થાય નહિ. ૨૬ પરગામ પ્રત્યે ચાલતાં ગાડામાં ભરીને તથા માથા ઉપર ચડાવીને કાંટા થોરને લઈ જતા સામાં સ્ત્રી, પુરૂષ મળે તથા વૈરી સામો મળે તો પોતાનું કામ સિદ્ધ થાય નહિ. ૨૭ પરગામ પ્રત્યે ચાલતાં શ્વેતવસ્ત્રો ધારણ કરનારા સાધુનું દર્શન થાય તો સર્વથા પ્રકારે ઉત્તમ છે, પરંતુ તેમાં પણ જો આચાર્ય સન્મુખ મળે તો તે ઉત્તમ પ્રકારના રાજયયોગના ફળને આપનાર થાય છે, ૨૮ પરગામ પ્રત્યે ચાલતાં સાધુશ્રમણ, ઘોડો, રાજ, મોર, હસ્તિ, બળદ જો સામા મળે તો સર્વ પ્રકારની સિદ્ધિ કરનારા થાય છે, અને ગામમાં પ્રવેશ કરતાં સામા મળે તો પણ સર્વપ્રકારની સિદ્ધિ કરનારા થાય છે, ૨૯ પરગામ પ્રત્યે ચાલતાં નિગ્રંથ સાધુ સામા મળે તો સર્વ કાર્ય સિદ્ધ થાય. ૩૦ પરગામ પ્રત્યે ચાલતાં ભરેલા પાત્ર સહિત તમામ ધર્મના દર્શનીયો સામા મળે તો કામ કરનારા થાય, પરંતુ કાલી પાત્ર હોય ને સન્મુખ મળે તો અનર્થની પરંપરાને કરનારા થાય. ૩૧ પરગામ પ્રત્યે ચાલતાં ખાટા એવા બોર સામા મળે તો કષ્ટને કરનારા થાય. ૩૬ પરગામ પ્રત્યે ચાલતાં એક પાણીનો ભરેલો પૂર્ણ ઘડો સામો મળે તો સંપૂર્ણ લાભ તથા ફલને આપનારા થાય. ૩૩ M૧૯૦) ૧૯o , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy