SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૨૪ પ્રાણદ્વાર, ૨૫ સંપદાદ્વાર, ૨૬ ધર્મદ્વાર, ૨૭ યોનિદ્વાર, ૨૮ કુલકોટીદ્વાર, ૨૯ અલ્પબહુત્વદ્વાર. ઓગણત્રીશ પ્રકારના મૂર્ખાઓ : ૧ ભુખ લાગ્યા વિના ખાય તે મૂર્ખ, ૨ અજીર્ણ છતાં ખાય તે મૂર્ખ, ૩ ઘણી નિદ્રા કરે તે મૂર્ખ, ૪ ઘણું ચાલે તે મૂર્ખ, ૫ ઘણીવાર સુધી પગ ઉપર ભારદઇને બેસે તે મૂર્ખ, ૬ વડીનીતિ લઘુનીતિની ટેવ છોડે તે મૂર્ખ, ૭ નીચના મસ્તક ઉપર પગ મૂકીને સુવે તે મૂર્ખ, ૮ આખી રાત્રી સ્ત્રીના સાથે વિષય સેવન કરે તે મૂર્ખ, ૯ સોળ વર્ષની ઉમ્મર થયા વિના મૈથુન સેવે તે મૂર્ખ, ૧૦ વૃદ્ધા અવસ્થામાં પાણિગ્રહણ કરે પરણે તે મૂર્ખ, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરે તે મૂર્ખ, ૧૨ હજામત કરાવતાં વાત કરે તે મૂર્ખ, ૧૩ અજાણ્યા માણસના સાથે રસ્તામાં ચાલે તે મૂર્ખ, ૧૪ પચ્ચખ્ખાણ લઇને યાદ કરે નહિ તે મૂર્ખ, ૧૫ ધનવંત તથા પંડિતના જોડે લડાઇ કરે તે મૂર્ખ,૧૬ તપસ્વીના સાથે વાદ કરે તે મૂર્ખ, ૧૭ પરના પાસે રૂપ બલ-ધન-ઐશ્વર્ય વિદ્યા દેખીને હર્ષ કરે તેમજ ઇર્ષ્યા કરે તે મૂર્ખ, ૧૮ વૈદ્યને મળીને રોગનું નિદાન કર્યા છતાં ઔષધ ન ખાય તે મૂર્ખ, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનનો સંશય ન ટાળે તે મૂર્ખ, ૨૦ પાણી પીતાં હસે તે મૂર્ખ, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મોટી ઇચ્છાઓ ધનવાન થવાની રાખે તે મૂર્ખ,૨૨ ૫રના લોકો સાથે પ્રીતિ કરે તે મુર્ખ, ૨૩ ઉધાર પૈસા આપીને પાછા ન માગે તે મૂર્ખ,૨૪ માથે દેવું કરીને ધર્મ કરણિકરે તે મૂર્ખ, ૨૫ દેવ ગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરે તે મૂર્ખ,૨૬ સજ્જનનો સંગ પ્રાપ્ત થયા છતાં ગુણોને ઉપાર્જન નહિ કરે તે મૂર્ખ, ૨૭ સુપાત્રનો યોગ પ્રાપ્ત થયા છતાં દાન આપે નહિ તે મૂર્ખ, ૨૮ પોતાના ગુણો પોતેજ બીજાના પાસે ગાય તે મૂર્ખ, ૨૯ ભાગ-૩ ફો-૧૧ Jain Education International ૧૪૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy