SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અને ત્યાં પણ પૃથફ પૃથક્ મહેશ્વર ગૃહ, બીજા ઉપાયના અભાવે ચાકરીયે રહ્યા. જેને ઘરે કર્મસાર રહેલો હતો, તે વ્યવહારી કૃપણ જુઠો વ્યવહાર કરનાર થતા પોતે બોલેલું પણ નહિ આપે તેવો હતો, અને માંગવા માંડે ત્યારે અમુક દિવસે આપીશ, એમ બોલી ઠગે, પણ કાંઇપણ આપે નહિ, આવી રીતે ઘણે દિવસે પણ એક પાઇ સરખી પણ કર્મસારને મળી નહિ. અને પુન્યસારે કાંઈક ઉપાર્જન કર્યા છતાં પણ ધૂર્તોયે તે છીનવી લીધું. એવી રીતે અન્ય અન્ય સ્થળે પણ મૃત્યપણાથી, ધાતુવાદથી, ખનિવાદથી સિદ્ધ રસાયણથી રોહણાચલ ગમનથી, મંત્રસાધનથી, રૂદંતીવેલના પ્રયોગથી કુબુદ્ધિથી, વિપરીત કરણથી અગ્યારવાર બહુ જ ઉપાયોથી કર્મસારે, તથા પુન્યસારે કદાચિત કાંઈ ઉપાર્જન કર્યા છતાં પણ તે ધન પ્રમાદથી બન્ને જણાયે ૧૧ વાર નષ્ટ કર્યું, ત્યારબાદ બન્ને ઉદ્વેગી થઈ વહાણે ચડયા પર દ્વિપે ગયા, અને સપ્રત્યયરત્ન દ્વિપની દેવી પાસે મરણનો નિશ્ચય કરી બેઠા. દેવીએ આઠમે ઉપવાસે તમારું ભાગ્ય નથી એમ કહ્યું એવું સાંભળી કર્મસાર ઉઠી ગયો, પણ પુન્યસારે એકવીસ ઉપવાસ કરવાથી દેવીયે ચિંતામણી રત્ન દીધું, તેથી કર્મસાર પશ્ચાતાપ કરે છે. અન્ય સાથે કહ્યું કે ફિકર ન કર, આનાથી તારી પણ સિદ્ધિ થશે, તેથી બન્નેને પ્રીતિ થઈ અને વહાણમાં બેઠાં અન્યદા પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થયો, તેથી અભાગ્યના ઉદયે ચંદ્ર અને ચિંતામણીના સન્મુખ વારંવાર જોવાથી રત્ન સમુદ્રમાં પડયું, તેથી મૂછ પામ્યો બહુ દુખ ઉત્પન્ન થયું, અનુક્રમે નગરે ગયા, જ્ઞાની મહારાજ પધાર્યા ત્યારે પ્રશ્ન કર્યો, તેથી જ્ઞાની મહારાજ તેના પૂર્વભવોનેકહે છે – ચંદ્રપુર નગરને વિષે જીનદાસ અને જિનદત્ત નામના બે શ્રેષ્ઠીયો પરમ શ્રાવકો હતા. અન્યદા પ્રસ્તાવે ત્યાંના શ્રાવકોએજ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય બહુ ન ૨૪ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy