SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ઉપયોગ પુર્વક જો લેતા હોય ત્યારેજ બહુ જ સારૂ કહેવાય. ર૭. ગામડામાં લોકની હાડમારી સખત છે ત્યાં જઈ એકાદ બે ઘરમાં સાધુ સાધ્વીનો સમુદાય જઈને પડે છે તે ઠીક નથી માટે એકાદ બે ઘર હોય ત્યાં નહિ જતાં આઠ દસ બાર ઘર હોય ત્યાં બબે ત્રણ ત્રણની ટુકડીયો થઇ જવાથી સાધુ સાધ્વીને તેમજ શ્રાવક શ્રાવિકાને બહુ જ અનુકૂળતા રહે છે માટે વિવેકથી તેમ કરવામાં આવે ત્યારે બહુ સારૂ કહેવાય. ૨૮. બે ચારકે એક ઘર તે ગાઉ દુર હોય ત્યાં ઘરડા નાના બાલક તો જઈ પડે પણ જુવાન પણ થોડા વિહાર કરવાથી શ્રાવક શ્રાવિકાને અને સાધુ સાધ્વીને અગવડ પડે માટે જુવાન અવસ્થાવાળા ચાર પાંચ ગાઉ દુર જઈ દસ પંદર ઘરવાળા ગામમાં જાય તો ત્યાં તેમનું બધી બાબતથી પોષણ થાય ત્યારેજબહુ સારૂ કહેવાય. ર૯. એક બે ઘરમાં ઘણા સાધુ સાધ્વીઓ જઈ સાથે બબે ત્રણ ત્રણ માણસને પણ લઈ ત્યાં ધામા નાખે તો આ દુઃખદ વખતના શ્રાવક શ્રાવિકાની શી દશા થાય ? તેનો વિચારકરી જતાં આવતાં એક જ માણસ લે તો બહુ સારૂ કહેવાય આવો વિચાર બધા કરીને કોઈને દુઃખ ન પડે તે પ્રકારે વિચરે ત્યારેજ બહુ સારૂ કહેવાય. ૩૦. જ્યારે જે ગામમાં જાય અને હાજર વસ્તુ હોયતેજ વસ્તુ લેવી બીજી વસ્તુ માગવી નહિ આમ કરવાથી શ્રાવક શ્રાવિકાની ભક્તિ બહુ વધે ત્યારેજ બહુ સારૂ કહેવાય. ૩૧. શ્રાવકો જીવ દયાના પ્રેમી અને હિમાયતી કહેવાય છે પણ તેવી દયા શ્રાવકોની પાલીતાણામાં સચવાતી નથી તેથી જાત્રાને બદલે માત્ર થાય છે તેમાં જ્યારે સિદ્ધાચલજીમાં મોટી તીથિ હોયત્યારે બળદો કરતાં પણ ઘોડાનું તો ચોવીસે કલાક મોતજ હોય છે પણ ૧૩૯ ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy