SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ, કારણ કે સર્પ તોકોઈ વેળા કાળે જ ડસે છે ને દુર્જન તો પગલે પગલે ડગે છે. ૧૮૦. પ્રથમ દુર્જનને વંદન કર્યા પછી સજ્જનને વંદન કરવું કારણકે મોઢું ધોયા પહેલાં ગુદાનું પ્રક્ષાલન કરવામાં આવે છે તેવીજ રીતે દુર્જનને પ્રથમ વંદન કરવામાંફાયદો છે. ૧૮૧. સર્પની દાંઢમાં વિષ હોય છે. માખીઓના માથા માં વિષ હોય છે. તથા વિંછીના પુંછડામાં વિષ હોય છે. અને દુર્જનના આખા શરીરમાં વિષ હોય છે. ૧૮૨. ટાંકણા વડે કરી પાષાણ ભેદી શકાય છે તથા વજ વડે કરીને પર્વતને તોડી શકાય છે તેમજ મંત્રો વડે કરીને સર્પને પણ ભેદી શકાય છે પરંતુ દુષ્ટ આત્માનો ધણી દુર્જન માણસ કોઈ પણ પ્રકારે ભેદી શકાતો નથી. ૧૮૩. સર્પ તો દુષ્ટ હોય છે તેથી બીલની અંદર રહે છે અને જેને કરડે છે તેજ મરે છે. પણ આ દુર્જનરૂપી દુષ્ટ સર્પો તો કોઈ અપૂર્વ કહેવાય છે. કારણકે દુર્જન પુરૂષોના મુખરૂપી બીલને વિષે રહેલા તેમની જીભરૂપી દુષ્ટ સર્પો જ તે કાનની મુળમાં અન્ય પુરૂષોને સ્પર્શ કરે છે. અને તેથી અન્ય પુરૂષોના પ્રાણ હરણ થાય છે. ૧૮૪. દુર્જન પણ પ્રિયવાદી હોય છે એટલે દુર્જન પ્રિયવાદી જ હોય છે. તેથી વિશ્વાસ કરવા લાયક નથી કારણ કે પ્રિય બોલવાથી મુખને વિષે મધ (મીઠા વચનો) રાખે છે પરંતુ તેના હૃદયમાં તો હલાહલ વિષ ભરેલું હોય છે. ૧૮૫. દુર્જન માણસે ઉપાર્જન કરેલું ધન દેવને માટે ધર્મને માટે બંધુઓને માટે તેમજ યાચક વર્ગને માટે કામમાં આવી શકતું નથી પણ તે ધન રાજા તથા ચૌરાદિકના કામમાં આવે છે. ૮૭ ભાગ-૨ ફર્મા-૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy