SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ યાદ રાખવું જોઇએ કે સ્નાન કરવાનું ધોતીયું સર્વથા અલગ જુદું જ રાખવું કારણ કે શાસ્ત્રને વિષે શાસ્ત્રકાર મહારાજએ ભવ્યજીવોના ઉપકારના અનુગ્રહ માટે ભવ્યજીવોને જુદા જુદા સમયે પહેરવાના જુદાં જુદાં સાત ધોતીયાં કહેલાં છે તે સાતમાં સ્નાન કરવાનું ધોતીયું પણ સર્વથા જુદું જ કહેવું છે છતાં પણ ચાલતા જમાનામાં વિવેકરહિત જીવો વડીનીતિ તેમ જ લઘુનીતિ અમલમૂત્ર) ત્યાગ જે ધોતીયાએ કરેલ હોય છે તે ધોતીયું પહેરી સ્નાન કરીને પછી પૂજા કરવા જાય છે. આ કેવલ જુઠી રીતિ અજ્ઞાન જૈનોને પાપકર્મના ભોક્તા બનાવે છે માટે ડાહ્યા અને વિવેકી જેનોએ પૂજા કરવા સ્નાન કરવા માટે જુદું ધોતીયું રાખી અને નિરંતર સ્નાન સિવાય બીજા કોઈપણ કાર્યમાં નહિ વાપરતાં વીતરાગ મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવા તથા શાસ્ત્રકાર મહારાજનું બહુમાન કરવા તેમજ અજ્ઞાનતા દુર કરવા તથા પાતિક હણવા અને ભવસમુદ્ર તરવા માટે પૂજા કરવા સ્નાન નિમિત્તનું ધોતીયું જુદું જ રાખવું શ્રેયસ્કર છે. હવે બીજું કારણ અજ્ઞાનતાનું એ જણાવવાનું છે કે જે ધોતીયું પહેરીને જૈનો સ્નાન કરે છે તે ધોતીયું વડી નીતિ લઘુનીતિનું હોય અથવા તો સ્નાન કરતી વેળાએ પહેરીને સ્નાન કરવા માટે જુદું જ હોય તે ધોતીયું પહેરી સ્નાન કરી પહેલા ધોતીયાનો આગળનો છેડો કાઢીને બે હાથે નીચોવી તેજ ધોતીયા વડે કરી પોતાના હાથપગ મુખ અને શરીરને સાફ કરનારા તેમજ લુંછનારાઓ પણ ચાલુ જમાનમાં ઘણા જ જૈનો જોવામાં આવે છે અને આ પણ જૈનોની કેવલ અજ્ઞાન દશા જ છે કારણ કે સ્નાન કરેલા ધોતીયાથી પોતાના શરીરને સાફ કરી પરમાત્માની પૂજા કરવા જવું તે લાયક નથી, માટે વિવેકી માણસોએ શરીરને સાફ કરવા માટે કેવલ અલગ જુદો જ રૂમાલ રાખવો લાભકારી (૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy