SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વર્ગે કહ્યું અમોએ પર ઘર પ્રવેશ કરવા બહુ મનાઈ ર્યા છતાં પણ ન માન્યો તેથી આ દોષ ઉત્પન્ન થયો. હવે અમો શું કરીએ ? ત્યારબાદ તે રાંકડાનો દુર્જનોએ તિરસ્કાર કર્યો અને રાજાએ પણ તેને ચોરની શિક્ષા કરી પ્રાણ રહિત કર્યો. આવું જાણી પર ઘર પ્રવેશ બંધ કરવો. આ ઉપરાંત બીજાં પણ ઘણાં દૂષણો લાગે છે, માટે પર ઘરને વિષે પ્રવેશ ન કરવો તેજ ઉત્તમ છે. વર ન્યાના જોડેલા સંબંધી કાંઇક વર્ણન છે નીતિ શાસ્ત્રકાર મહારાજા કહે છે કે શાસ્ત્રમાં વરના જેગુણો ઉત્તમોત્તમ કહેલા છે તેજ ગુણો કન્યાના પણ ઉત્તમોત્તમ હોવા જોઈએ, જેમકે સુંદર રૂપ, પંચેન્દ્રિય પટુતા, યુવાન અવસ્થા વ્યવહાર માર્ગમાં કુશળ પૈસો પેદા કરનાર, નિરોગી સમાન વયવાળો, સમાન કુળવંશ, આચાર વિચારવાળો વિવેકી વિનયી, સર્વકળા સંપન્ન, હસમુખો દક્ષ અને દાક્ષિણ્યતાવાળો તેમજ દ્રવ્ય ઉપાર્જન કરવાવાળો અને દેવ, ગુરૂ ધર્મ, માતા, પિતાનો પ્રેમી અને સર્વના માથે મિલનસાર, તેમજ સદાચરણવાળો અને ન્યાયી પતિ સ્ત્રીને મલ્યો હોય, અને ઉપરોક્ત ગુણવાળી સ્ત્રી પણ તેવા પતિને મળેલ હોય તો જ તેનો સંસાર સારો છે, અન્યથા વિપરીત મળવાથી રાત્રિ દિવસના પેઠે વિડંબના ભૂત જ છે, વિપરીત જોડલું મળવાથી અનાચાર કે વ્યભિચાર બને પડવાથી કુળવંશની કીર્તિ ઉપર પાણી ફેરવીને આબરુની હાનિ ઈહલોકે કરી પરલોકે દુર્ગતિને શરણ થાય છે. હવે કજોડા ઉપર શાસ્ત્રકાર મહારાજા દષ્ટાંત આપે છે : Cોડની ક્યાબO ધારા નગરીને વિષે ભોજ રાજા રાજય કરતો હતો. તે બહુ ૩૬૫ ૩૬૫ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy