SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાન્ત કર્યો. ત્યાર બાદ તેણે પોતાના માતાપિતાને ત્યાં તેડાવ્યા.તે બંનેની વાત સાંભળી રાજાને મનમાં ઘણો જ હર્ષ થયો. ત્યારબાદ કેટલોક કાળ વીત્યા પછી રાજા અને લલિતાંગે દીક્ષા અંગીકાર કરી અને સારી રીતે પાળીને બંને જણા સુખના ભાગી થયા. પરના અહિત ક્રનારને પોતાનું જ અહિત થાય છે તે વિષે ઘનશ્રીની ક્યા.” આધોરણ નગરને વિષે ધન નામનો શ્રેષ્ઠી હતો, અને તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તેને બે પુત્રો હતા. હવે તે નગરને વિષે ધવલનાથ નામનો એક યોગી નિરંતર ભિક્ષાને માટે ભમતો હતો. તે બોલતો હતોકે “જો જૈસા કરેતો તૈસા પાવે,” એ શબ્દો વારંવાર બોલતો બોલતો રાજમાર્ગે ચતુષ્પથે વાણિયાની દુકાને ઘરે શેરીયે અને ચૌટે કાયમ ફર્યા જ કરે હવે એક દિવસ તે ધનશ્રીયે તે જોગીના વચનને સાંભલીને શું આનું વચન સત્ય છે કે અસત્ય, એ જાણવાને માટે અત્યંત તીવ્ર વિષ નાખી લાડુ બનાવી તે યોગીને આપ્યા. તે યોગીએ પણ બીજી જગ્યાએથી લાડવા સિવાય બીજી ઘણી ભિક્ષા લીધી, અને નગર બહાર સરોવર તીરે જઈ સરોવરમાં હાથ પગ ધોઇ, જેવામાં ખાવા માટે બેસે છે તેવામાં દૈવયોગે તેજ ધનશ્રીના બન્ને છોકરા ક્રીડા કરવા ત્યાં આવ્યા. સુકુમાળ વિનીત બાળકોને દેખીને હર્ષને પામીને યોગીએ બંનેને લાડુ આપ્યા. લાડવો ખાઈને પાણી પીધું અને તેઓ બંને એક વૃક્ષની નીચે સુતા અને વિષના વેગથી મરણ પામ્યા. યોગી ભિક્ષા ખાઈને પોતાના સ્થાનકે ગયો હવે ધનશ્રીએ પોતાના બન્ને પુત્રોને સર્પાદિકથી મરણ પામેલા કલ્પી, કેટલેક દિવસે તેમનો શોક ત્યાગ કર્યો ત્યારબાદ એવી જ રીતે બોલતો ફરીથી એકદિવસે ધનશ્રીય યોગીને દેખ્યો, તેથી ધનશ્રી M૩૫૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy