SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ O અરસપરસ મર્મ બોલી મરનાર બે સર્પનાં દષ્ટાંત ) પૃથ્વીપુર નગરને વિષે સુંદર નામનો રાજા હતો તેને વક્ર શિક્ષિત ઘોડાએ એકદિવસ અટવીને વિષે મુકી દીધો. પરિશ્રમ પડવાથી ઘોડા ઉપરથી ઉતરીને એક વૃક્ષનાનીચે તે સૂતો, તે વખતે તેના મુખને વિષે એક નાનો સર્પ પેસી ગયો. ત્યારબાદ તે પોતાને ઘરે આવ્યો, સર્પ પેટમાં વૃદ્ધિ પામવાથી પેટમાં પીડા બહુ ઉત્પન્ન થઈ તેથી કાશી જઇ કરવત મૂકાવીને મરવા માટે ચાલ્યો. ગંગા નદી પ્રત્યે ચાલતાં રસ્તામાં એક વડવૃક્ષની નીચે સૂઈ રહ્યો તેથી વાયુનું ભક્ષણ કરવાને માટે મુખ્ય પ્રત્યે આવેલા સર્પને ત્યાં જોડમાં રાફડાને વિષે રહેલા અને બહાર નીકળેલા સર્પ તે સર્પને રાજાના મુખમાં દેખ્યો તેથી તે બોલ્યો કે રે પાપિષ્ટ ! નીકળ તેના પેટમાંથી શું કરું ? આવી રીતે સાંભળીને રાજાના મુખમાં રહેલો સર્પ બોલ્યો કે તું જે બિલમાં રહે છે તે બિલમાં ઉષ્ણ તેલ નાખીને તેને મારીને તારે ઠેકાણે નિધાન છે તેને લઇ લેવાનું જાણું છું, પરંતુ અહિયાં કોઈ નથી, હું પણ કોના પાસે કહું ? આવી રીતે એક બીજાના મર્મના બોલેલાં વચનો રાજાની રાણી જાગતી હતી તેણે સાંભલ્યાં, તેણીયેતે બંનેના વચનો પ્રમાણે કરવાથી બન્ને સર્પ મરણ પામ્યા. રાજા નીરોગી થયો અને નિધાનનો ઢગલો લઇને ઘેર ગયો. માટે જેઓ કોઈના ગૂઢને પ્રગટ કરતા નથી,કોઇના મર્મને બોલતા નથી, તેને મહાપુરૂષો જગતને વિષે ઉત્તમ કહે છે, માટે કોઈના મર્મ બોલવાની ટેવ કદાપિ કાળે રાખવી નહિ. વપરદ્રોહના વિષે શ્રીધર તથા અંગનીથO વરણ ગામને વિષે મહા મૂર્ખ તેમજ અત્યંત દરિદ્રી શ્રીધર નામનો બ્રાહ્મણ હતો. અન્યદા તેની સ્ત્રીએતેને કહ્યું કે હે નાથ ! તું M૩૪૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy