SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉપદેશને તું લક્ષમાં લે અન્યજનને વિષે વિશ્વાસ ન કરવો, સ્ત્રીને ગુપ્ત વાર્તા કહેવી નહિ, મૂળ મૂડી નાશ થાય તેવું કામ કરવું નહી, ગુરુઓને ખેદ ઉત્પન્ન કરવો, આવશ્યકાદિક કાર્યોને વિષે પ્રસાદ કરવો નહિ, સારા શ્લોકો બોલનાર શત્રુ હોય તો પણ તેના ઉપર દ્વેષ ન કરવો, અને કુવ્યાપાર કરવો નહિ. આવી રીતે કહીને શેઠ મરણ પામ્યા પછી અન્યદા પ્રસ્તાવે તે કેદાર શ્રેષ્ઠી રૂપવતી યૌવનવતી અને કામદેવના ઘર સમાન એક વેશ્યાને ઘરે ગયો. ત્યારબાદ તેને વિષે લુબ્ધ થયેલા તે શેઠ રોજ તેને ઘરે જવા લાગ્યા, ને વેશ્યા પણ તેને ઘરે આવવા લાગી. આવી રીતે તેની આવ જા અને અરસ-પરસ પ્રીતિ દેખીને એક દિવસ પોપટે કહ્યું કે હે નાથ ! વેશ્યાઓ નિસ્નેહા અને ઉચ્છિષ્ઠ ભોજન જેવી છે, માટે બહુ નટવીટ પુરુષોએ સેવેલી વેશ્યાનો સંગ કરવો યુક્ત નથી .એકદા વેશ્યા પાસે જવાનો વિલંબ થવાથી વેશ્યાએ પૂછવાથી પોપટ મને પ્રતિબોધ કરતો હતો તેથી વિલંબ થયો છે, એ પ્રમાણે શેઠ કહેવાથી, વેશ્યા વિચાર કરવા લાગી કે આ પાપિષ્ટ મારા સુખને વિષે અંતરાય કરે છે, એમ ચિંતવન કરીને તેણીયે માયા કપટ કરીને કહ્યું કે હું પણ પોપટના સાથે ક્રીડા કરું એમ કહીને શેઠના પાસેથી તે પોપટ લઈને પોતાને ઘેર ગઈ અને પોપટની પાંખો છેદી નાખીને તેને મારવાને માટે ઘરમાં જેવી છરી લેવા ગઈ તેવામાં પોપટ ધીમે ધીમે તેના ઉદ્યાનના વૃક્ષના કોટરમાં ભરાઈને બેઠો.બહાર આવીને પોપટને નહિ દેખવાથી કોઇકે તે પાપીનું ભક્ષણ કર્યું છે, એમ માની શેઠે પૂછવાથી નિઃશંકપણે કહ્યું કે કયાંઇક તે ઉડીને ચાલ્યો ગયો. આવો ઉત્તર તેણીએ આપ્યો ત્યારબાદ કેટલાયેક દિવસો ગયાપછી પોપટને પાછી પાંખો આવવાથી તેણે પોતાનું વૈર વાળવાનું મન કર્યું, એકદા તેની ગોત્રદેવી ચંડિકાની પૂજા કરવાના વખતે દેવીની પાછળ પોપટ સંતાઈ રહ્યો ને પ્રણામ ૩૪૩ - ૩૪3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy