SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેણે પોતાની સ્ત્રીને આપી. તેણીએ વિધિપૂર્વક પુજવાથી તે મૂલિકાયે મણિ સુવર્ણાદિકથી દેદીપ્યમાન સાત સાત ભૂમિનો મહેલ કરી દીધો અને સાથોસાથ પાડોસી ને બમણી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. પાડોશીને પોતાની બમણું થયેલું દેખી ઈર્ષ્યાલું શિરોમણિ તે અધમ બ્રાહ્મણ ગળે ફાંસો ખાવાનો ઉદ્યમ કરવા લાગ્યો, તેથી તેની સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! તું સ્વસ્થ થા. તારું મન ધાર્યું હમણાં કરું છું એમ કહી તે બ્રાહ્મણીયે પોતાના ઘરમાં પચાસ અંધકારમય કુવા કરાવ્યાઅને મૂલિકાના વશથી પોતાના તમામ પરીવારને એક આંખે અંધ કરી તેમાં નાખવાથી પાડોશીયો તેમાં બે આંખે અંધ થઈ તે અંધારા કુવાને વિષે પડવાથી પરિવાર સહિત મરણ પામ્યા તે દેખી દુષ્ટ બ્રાહ્મણ રાજી થયો, મહાકુલીષ્ટ કર્મ ઉપાર્જન કરી, અત્યંત દુઃખી થઈ મરણ પામી નરકને વિષે ગયો માટે જીવોએ પારકાની ઈર્ષ્યા કરવાનો ત્યાગ કરવો. CT દ્વેષના સંબંધમાં શુક્ર વેશ્યા ક્યા TO રત્નપુર નગરને વિષે રત્નસાર નામનો શ્રેષ્ઠી વસતો હતો તેને કેદાર નામનો પુત્ર હતો તે વિદ્યાભણીને તેમજ શ્રેષ્ઠીની કન્યાનું પાણિગ્રહણ કરીને સુખ પૂર્વક કાળને નિર્ગમન કરતો હતો તે શ્રેષ્ઠી ઘરે કલાના સમુહમાં કુશળ કલાકલાપ નામનો એક પોપટ હતો. ત્યારબાદ કેટલાક કાળે વૃદ્ધાવસ્થા પામેલો, અને મરવાની તૈયારી વાળો શ્રેષ્ઠી પોતાના પુત્રને કહેવા લાગ્યો કે હે પુત્ર ! હાલમાં હું પરલોક પ્રત્યે પ્રયાણ કરવાની તૈયારીમાં છું, અને તું તો નવયૌવન વયવાળો છે યોવન અવસ્થાને વિષે વિષયરૂપી વિષ વડે કરીને ઘેરાયેલી દષ્ટિવાળા જીવો કૃત્યાકૃત્યને જોતા નથી, તે કારણ માટે સદ્ગુરુના ઉપદેશ રૂપી અમૃત વડે કરીને સિંચાયેલા એવા મારા M૩૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy