SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પિતામાતને પુછીને તેની રજા મેળવીને તેણે દીક્ષા લીધી. ત્યારબાદ તે અનુક્રમે વિહારને કરતો તપને તપતો, પૃથ્વીને વિષે ફરીને ફરીથી ત્યાં આવી તેજ ઉપવનને વિષે કાઉસગ્ગ ધ્યાને રહ્યો, હવે તેજ વનને વિષે તેની સ્ત્રી મરીને વ્યંતરી થયેલી હતી તે ત્યાં આવી. તેણે પોતાના પતિને ઓળખ્યો, તેથી રાગથી અત્યંત સ્નેહરાગ અને કામરાગ ઉત્પન્ન થવાથી કામપરવશ થઇ, પ્રેમ વડે પ્રફુલ્લિત શરીર કરી પોતાના રૂપને પ્રગટ કરીને તે મુનિ પ્રત્યે કહેવા લાગી કે હે પ્રાણનાથ! મેં તમારા માટે મારું શરીર અગ્નિને વિષે હોમ્યું છે અને તમે પણ મારે માટે ઘણાં વ્રત અને કષ્ટને સહન કરેલ છે, માટે તે સ્વામિ? મારા ઉપરપ્રસન્ન થાઓ અને દેવીપણાને પામેલી મારી સાથે તું ભોગો ને ભોગવ. આવી રીતે તેણીએ કહેવાથી મુનિ સ્વપ્ર સુખી તુલ્ય વિષયસુખ અનિત્ય માનીને મૌન કરીને રહ્યા. ત્યારબાદ બહુ ભોગ પ્રાર્થના નાં વચનો વડે કરીને પણ મુનિ ક્ષોભ ન પામ્યા. આવી રીતે તે સાધુએ અવગણના કરવાથી વ્યંતરીને દ્વેષ ઉત્પન્ન થયો, તેથી ક્રોધારણ નેત્રો કરીને મુનિ પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામિન્ ! તું મારું વચન માન્ય કર, અન્યથા તને હું કષ્ટને વિષે પાડીશ. આવા પ્રકારનાં તેણીનાં વચનો સાંભળીને મુનિચિંતવના કરે છે કે હે જીવ! જેના કટાક્ષ રૂપી વિષ-અગ્નિજવાળા સમાન છે એવી આ સ્ત્રી રૂપી ફણીધરથી તું દુર થી કારણ કે બીજા ફણિધર ડંખવાથી મંત્ર તેમજ ઔષધાદિક થઈ શકે છે, પરંતુ સ્ત્રી રૂપફણીધર ડસવાથી તેનો પ્રતિકાર કોઈપણ રીતે થઈ શકનાર નથી.આવી રીતે ચિંતવના કરી, દઢતા ધારણ કરી રહ્યા, તેથી ક્રોધને પામેલી તે વ્યંતરીએ તેલ ભરેલી રૂની તળાઈને તે મુનિના ગળામાં નાખી વચ્ચે છિદ્ર કરીને અગ્નિ લગાવી મુનિને બાળી દીધા. બળવા માંડેલા મુનિ સહકલેવર. ઇતિ આવા M૩૩૭) 339 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org www.jainelibrary
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy