SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ OT - ક્યુટની દશા કપટીનો વિશ્વાસ કરવો નહિ, કપટી હૃદયમાં જૂઠો, મુખે મીઠો હોય છે, કપટીને હૃદયની વાત કરવી નહિ, કપટી બોલ્યા વિના પ્રીતિ ઉપજાવે છે, કપટી બિલાડીના પેઠે છિદ્ર ગવેલી હોય છે, કપટી છાના કલંક ચડાવે છે, કપટી પેટની વાત લે છે,કપટી બીજા પાસે ખુલ્લી વાત કરે છે, કપટી માન યુક્ત હોય છે,કપટી ઉપરથી અમૃત સમાન હોય છે, કપટી અંદરથી કઠોર હોય છે, કપટી ઉપરથી કુણો હોય છે. કપટી અંદર મલીન હોય છે, કપટીથી રૂડો તથારાતો હોય છે, કપટી ચોરના પેઠે નીચો ચાલે છે, કપટી કપટની પેટી હોય છે, કપટી જુઠો સ્નેહ બાંધે છે, કપટીહૃદયમાં હજારો ઘાટ ઘડે છે, કપટી કામણગારો હોય છે, કપટી હજારો લોકોને વશ કરે છે, કપટી સુખે નિદ્રા કરતો નથી કપટી વાદળની છાયાજેવો હોય છે, કપટી ચિંતવેલ કાર્ય ચુકતો નથી, કપટી દુર્ગતિ જાય છે, કપટી સૂર્યકાન્તાએભરથારને વિષ દીધું અને મરી નરકે ગઇ, કપટી ચલણીયે પુત્ર મારવાલાખનું ઘર કીધું અને મરીને નરકે ગઈ. કપટી મણિરથ રાજાએ યુગ બાહુને બાંધીને માર્યો અને મરીને નરકે ગયો. કપટી મહાશતકની મોટી સ્ટી રેવતીયે બાર શોકયો મારી અને નરકે ગઈ.કપટી નળરાજાએ દમયંતીનો ત્યાગ કર્યો. કપટી અભયરાણીએ સુદર્શન શેઠને વિડંબના પમાડી. કપટથી મહાબલ મુનિ તપસ્યા કરી સ્ત્રી તીર્થંકરપણું પામ્યા એહવું જાણી સંસારથી ત્રાસ પામેલ જીવોએ માયા-કપટને જલાંજલી આપી દરિયાપાર કરી સુખી થવું યોગ્ય છે. ૩૦૮) 30૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy