SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રાપ્ત કરતા નથી, માટે તમામ જીવોએ પંચાગ નમસ્કાર કરવો, તેમ કરવાથી સુરેન્દ્ર દત્તના પેઠે મહાન સિદ્ધિ મેળવી પરમસુખને પામે છે તીર્થંકર મહારાજાઓને, તથા પ્રવચનીકોને, તથા યુગપ્રધાનને, તથા આચાર્ય મહારાજાઓને, તથા અતિશયવંત કેવળી મહારાજાને, તથા પૂર્વધરોને, તથા આમર્યાદિક ઔષધિઆદિ રિદ્ધિ પામેલાને નમસ્કાર કરવો. તેમનું દર્શન કરવું, તેમનાં ગુણોનું કીર્તન કરવું, ઉત્તમ સુગંધિ વસ્તુ વડે કરી પૂજન કરવું, સ્તોત્રાદિકવડે કરી સ્તવવું તેથી જીવોને દર્શનશુદ્ધિ થાય છે, તેઝારણ માટે નવ પ્રકારના ચૈત્યવંદનને વિષે પંચાંગ નમસ્કાર કરવો, તે ચૈત્યવંન ભાષ્ય અર્ધગાથાથી કહે છે. यथोक्तम्-पणिवाओ पंचंगो, दोजाणुकरदुगुत्तमंगं च પ્રણિપાત-બે ઢીંચણ, બે હાથ, ને એક મસ્તક આ પાંચને ભેગા કરવાથી કહેવાય છે, એટલે પાંચે નમ્રઅંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરવો, જે માટે આચારાંગ ચૂર્ણિમાં કહેલ છે. कहं नमंति सिरपंचमेण कारणं, इति. મસ્તક છે પાંચમું જેને વિષે એવા શરીર વડે કરીને કેવી રીતે નમસ્કાર કરે છે તે કહે છે. एकांगः शिरसो नामे, सद्वयंगः करयो द्वयोः। त्रयाणां नमने त्र्यंगः करयो शिरसस्तथा ॥१॥ चतुर्णां करयोर्जान्योनमने चतुरंगकः । शिरसा क रयोर्जान्वोः पंचागः पंचमो मतः ॥२॥ ભાવાર્થ –એકલું મસ્તક નમાવવાથી એક અંગથી નમસ્કાર કરેલ કહેવાય છે, અને બે હાથ જોડી નમસ્કાર કરવાથી બે અંગ વડે કરીને નમસ્કાર કરેલ કહેવાય છે, બે હાથ અને મસ્તક વડે કરેલ નમસ્કાર ત્રણ અંગવડે કરીને કરેલ નમસ્કાર કહેવાય છે, બે ઢીંચણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy