SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિવેચન : ઇહાં નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર, અને ભાવ નમસ્કાર આ ચાર પ્રકારના નમસ્કાર કહેલા છે. તેમાં અહત શબ્દ જોડી કરી અહત આકાર યુક્ત સ્થાપના ગ્રહણ કરી શકાય છે. અને તેને નમસ્કાર કરવાથી સ્થાપના નમસ્કાર કહેવાય છે, તથા નમોકારો નમસ્કાર એ શબ્દ વડે નામ નમસ્કાર કથન કરી શકાય છે, તથા અંજલી આદિ વડે કરેલો નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કથન કરી શકાય છે, તેમજ આત્માના અંતરઅધ્યવસાયથી કરેલ નમસ્કાર તે ભાવ નમસ્કાર કહેવાય છે, તેજ ઉત્તમોત્તમકારણથી અરિહંત મહારાજને કરેલ નમસ્કાર જીવને હજાર ભવ સુધી મુક્ત કરે છે, કિંબહુના ! અનંત ભવો થકી પણ મુક્ત કરી સંસારના પારને પમાડે છે. યધપિ જેના કર્મ કાંઈક બાકી રહેલા હોય, અને આયુષ્યની પૂર્ણાહુતિ થઈ જાય તો નમસ્કાર તદ્ભવ મુક્તિ આપતો નથી, તોપણ બીજા ભવને વિષે મુક્તિ જરૂરાજરૂર આપે છે, કદાચ ઘણા કર્મ બાકી રહેલા હોય તો પણ અન્ય જન્મને વિષે પણ બોધિબીજના લાભને માટે થાય છે બોધિ લાભ એટલે નિશ્ચય સ્વલ્પ ભવમાં મુક્તિના હેતુ ભૂત થાય अत्र भव्यम् अरहंता गारवई ठवणा, नाम मयं नमुक्कारो । भावेणं तिय भावो, दव्वं पुण कीरमाणोत्ति પા૨ા. इय नामाइ चउव्विह, बज्झब्भंतर विहाण करणाओ । सो मोएइ भवाओ, होइ पुणो बोहिबीयं च ॥२॥ ભાવાર્થ –અહંત આકાર યુક્ત સ્થાપના, નામ વડે કરી નામ, ભાવ વડે કરી ભાવ, અને અંજલી આદિથી કરેલ નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. એ નામાદિ ચાર પ્રકારનો નમસ્કાર તે બ્રાહ્મ અત્યંતર વડે કરવાથી ભવથકી મુક્ત કરે છે. વળી પણ બોધિબીજની ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy