SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે વિદન શાંતિ ને માટે આકાશમાં બલિ ઉછાળીને ઊંચે સ્વરે બોલ્યો કે કોઈદેવ, રાક્ષસ, યક્ષ દુષ્ટ જે અમારા ઉપર રૂષ્ટમાન થયેલો હોય તે ક્ષમા કરી પ્રત્યક્ષ થાવ, અને તે જે કહેશે તે અમે કરવા તૈયાર છીએચોર પ્રત્યક્ષ થઈને કહે છે કે ચોર તો હું છું, ને આ ફોગટ મારા વિદ્યા ગુરુને શૂળી ઉપર ચડાવેલ છે. તેથી તમો બધાને મારવાને માટે આ શિલા વિદુર્વ છે. જો આ મારા વિદ્યા ગુરુને હાથી ઉપર બેસારી તું તેને માથે છત્ર ધારણ કરી નગરલોક સહિત તેને ઘરે પહોંચાડીશ તો છોડીશ, અન્યથા આખા ગામને ચૂર્ણ કરી નાખીશ, રાજાએ તેમ કરવાથી ચોરે શિલાને હરણ કરી લીધી પાછળથી વાણિયાએ પણ વિદ્યા સાધવાથી તેને પણ આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કામનું સ્વરૂપ O શાસ્ત્રકાર મહારાજાએ મૈથુન સેવનમાં દોષ કહેલ છે અને તેથી વિષયના ત્યાગ માટે બહુ જ ભાર દઈ ગંભીર ઉપદેશ કરેલ છે. વિષય સેવનથી મહા વીર્ય, ધન, અને બુદ્ધિની હાનિ અને છેવટે દુર્ગતિની પ્રાપ્તિ કહેલ છે.શ્રીમાન કેવળજ્ઞાની મહારાજાએ કહેલું છે કે “મૈથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલ માણસ નવ લાખ જીવો ને હણે છે.” આવા તીર્થંકર મહારાજ તથા કેવલી મહારાજના વચનો ઉપર શ્રદ્ધા કરવી. સ્ત્રીની યોનિમણે : નવલાખ ગર્ભજ જીવો હોય છે અને સંમૂર્ણિમ જીવો અસંખ્યાતા હોય છે તે સઘળા જીવો પુરૂષના સંગથી વિનાશ પામે છે. પુરૂષે એકવાર સેવન કરેલી સ્ત્રીના ગર્ભને વિષેએક જ વારમાં પંચેદ્રિય મનુષ્યો ઉત્કૃષ્ટથી નવલખ ઉત્પન્ન થાય છે અને તે નવ લાખમાં ભાગ્યે જ એક બે જીવ સિવાય બાકી સર્વે વિનાશને પામે છે. વિગેરે અનેક પ્રકારે મૈથુન સંબંધિ વર્ણન પન્નવણા સૂત્રાદિક અનેક ગ્રંથો વડે કરેલ છે, માટે એકાંત પાપમય વિષય ૨૪૧ ~ ૨૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy