SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સત્વ નામનો મનુષ્ય છું, પરંતુ સર્વ આપદાનું નિદાન હે રાજન્ ! દારિદ્રય છે. નિદ્રવ્ય મનુષ્ય લજ્જા વડે કરી રહિત થાય છે, ને લજ્જા રહિત મનુષ્ય તેજ થકી ભ્રષ્ટ થાય છે, તેજ હીન મનુષ્ય લોકોથી પરાભવને પામે છે, પરાભવથી ખેદ પામે છે, ને ખેદ પામવાથી શોક કરવાવાળો થાય છે, શોક કરનારની બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી મનુષ્યોનો ક્ષય થાય છે. માટે દારિદ્રપણું સમગ્ર આપત્તિનું મૂલ છે, હવે તારા પાસે હારાથી રહી શકાશે નહિ. માટે હું જાઉં છું, તારૂ કલ્યાણ થાઓ ! આવી રીતે કહીને જેવો ચાલવાને માટે ઉદ્યમ કરે છે. તેવામાંરાજા તેને કહે છે કે હે ભદ્ર ! ત્યારો ને મારો સંબંધ સાથે જ થયેલો છે. વૃદ્ધિ પણ સાથે જ થયેલી છે, તેથી તું મહારો સહોદર છે, ! તારા વિના મારાથી એક ક્ષણ માત્ર પણપ્રાણ ધારણ કરી શકાય નહિ, કહ્યું છેકે - હે લક્ષ્મી ! તારે જવું હોય તો તું પણ જા, તેમજ મદોત્તમત્ત હસ્તિયોને જવું હોય તો તે પણ ભલે જાય, ચપલ એવા ઘોડાઓને જવું હોય તો તે પણ ભલે જાય, પણ સત્વ ! તું જઇશ નહિ. એમ કહી વિક્રમ છરી કાઢીને જેટલામાં પોતાના ઉદરઉપર મૂકે છે તેટલામાં તે અકસ્માત દેવરૂપ થઇને રાજાને કહે છે કે હે નરસિંહ ! તને ધન્ય છે, કે તે પોતાનું વચન પાલવાને માટે વિષમપણુ પણ પ્રાપ્ત કર્યું આવી રીતે કહી રહ્યા પછી રાજા પાસે જે લોખંડનું પુતળું હતું તે કંચનમાં સુવર્ણ પુરૂષ થઈ ગયો, એટલામાં ત્યાં લક્ષ્મી આદિ ત્રણે સ્ત્રીયોએ આવીને કહ્યું કે હે રાજન જો તને સત્ત્વ નામનો અમારો પિતા છોડતો નથી, તો અમે પણ તને ત્યાગ કરવાને ઇચ્છતા નથી. આવી રીતે કહીને ફરીથી તે ત્રણે જણીઓ લક્ષ્મી, સરસ્વતી અને સૌભાગ્ય શ્રી વિક્રમ રાજાની સેવા કરવા લાગી ત્યારબાદ રાજા M૨૨૫) ૨૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy