SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વૈયાવચ્ચેથી પાપ પડલને રોગીને અપૂર્વકરણના યોગે ક્ષપકશ્રેણિ પર આરોહણ કરીને દુસ્તર મહાન મોહરૂપી સમુદ્રને તરીને નિર્મળ ચારિત્રાથી અન્તર શત્રુઓનો નાશ કરીને કેવળજ્ઞાન પામ્યા પાંત્રીશ દિવસનું અણશણ કરી સુસાધ્વીના પરિવાર સહિત ચંપકમાળા સાધ્વી શીવ્રતાથી મોક્ષે ગયાં. એ ઉપરોકત દષ્ટાંત વાંચી સમગ્ર ભવ્ય જીવોએ સમ્યક્ત્વની શુદ્ધિપૂર્વક નિર્મલતાભાવથી જિનેશ્વર મહારાજના ધર્મનું પ્રતિપાલન કરી સદ્ગતિ મેળવવા પ્રયત્ન કરવા ચૂકવું નહિ. તે જ માનવજન્મનો પૂર્ણપરમાર્થ છે. ઇતિ ચંપકમાળા કથા સમાપ્ત. CT પુન્યોદય ઉપર વૈધ ક્યા (૧) TO કપુર નગરને વિષે કોઈક વૈદ્ય વૈદુ કરે છે ત્રિફલાનું ચૂર્ણ, હિંગાષ્ટ ચૂર્ણ, જવરાદિક કવાથ, રસ્નાદિક ક્વાથ વિગેરે કેટલીક ટીપેલી વનસ્પતિઓના યોગોને જાણે છે, પરંતુ રસનાદિક જાણતો નથી. તેનો એવો આચાર છે કે જે જે રોગ ઉપર જે જે ઔષધિઓ જોઇએ તે તે જુદી જુદી થાલીમાં રાખેલ છે. અને પલ અર્ધપલ પ્રમાણથી આપે છે. ઘુણાક્ષર ન્યાયથી જે માણસ જીવે છે. તે તેની ભક્તિ કરે છે, અને જે મરી જાય છે. તે કર્મ વશથી મરી ગયો એવું કહે છે. હવે કાલાન્તરે તે વૈદ્ય મરણ પામ્યો. તેનો છોકરો બાર વર્ષનો પશુની જેમ બહુ જ ભોજન કરનારો છે. તે છોકરાની માતા જીવે છે. પ્રથમની રૂઢીથી ઔષધ તેવાં આવે છે. પરંતુ છોકરો કાંઇપણ જાણતો નથી ત્યાર બાદ માતાને પુછે છે. માતા દરેક થાળીયોને તપાસે છે. તેમાં હરડેનું ચુર્ણ દેખે છે. અને પુત્રને કહે છે હે પુત્ર ! તારો પિતા આના અંદરથી ચૂર્ણ પ્રાયઃ કરીને બધાને આપતા M૧૬૦ + Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy