SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે ઇચ્છાકરે છે હે પ્રિય ! તમે કહો કે આ જગતને વિષે મરણથી ભય પામેલ કોઈ આવું કાર્ય કરે તેમ છે ? અર્થાતુ નથી જ વળી બીજું એ છે કે આવા સમયે પોતાનું પાપકર્મ પ્રગટ કરવાને બીજું કોણ સમર્થ છે ? અર્થાત્ કોઈ જ નહિ મતલબ કે આ પરિત્રાજિકાનું ચિત્ત પ્રથમ જેવું હતું તેવું હાલમાં નથી, પરંતુ સત્યાર્થતાથી સમકત્વ યુક્ત દેવગુરૂધર્મની વાસનાથી ભૂષિત થયેલું છે, કારણ કે જે અવસ્થાની અંદર આ વિપકંદલીના સમાન હતી તે અવસ્થા હાલમાં તેની નષ્ટ થઈ છે, માટે તેનું વાત્સલ્ય કરવું, પરંતુ તેને દુ:ખ દેવું યુક્ત નથી” આવા પ્રકારના વચન સાંભળી દેવી ચંપકમાળાની સાથે રાજા પોતાના વાસભુવનમાં ગાયો. હવે પરિવ્રાજિકા ચંપકમાળા પાસે નિરંતરધર્મને શાંત હૃદયથી સાંભળવા લાગી તથા ગૃહસ્થ ધર્મને યોગ્ય યથાશક્તિ પુન્ય કર્મ કરવા પશ્ચાતાપરૂપી દાવાનળવડે બળેલા હૃદયવાળીદુર્લભદેવી પણ વિભક્ષણના પ્રયોગથી પોતાના જીવિતવ્યનો ત્યાગ કરવાની ઇચ્છા કરવા લાગી. ચંપકમાળા એવા પ્રકારના તેણીના અધ્યવસાય ચૂડામણિથી જલ્દી જાણીને તેણીની પાસે ગઈ અને દુર્લભદેવીને પુછયું કે “તારા હાથમાં શુ છે ?” તે વખતે તેણી ચંપકમાળાના પગમાં પડીને બોલી કે જે કાંઇ આપ જાણો છો તેજ' ચંપકમાળા આશ્વાસન આપી બોલી કે જે પાપકર્મનું આચરણ તે કરેલ છે તેનો પ્રતિકાર આવા કાર્યથી બની શકે નહિ, કારણ કે આમ કરવાથી ચંદ્રની કળાના સમાન નિર્મળ સ્ત્રીયોના અપયશનો ઢોલ વાગે. હાલમાં ધર્મકર્મને વિષે કેટલાક દિવસ તમો વ્યતીત કરો, ત્યાર પછી આ કર્મના પ્રતિકારનો ઉપાય અવસરે હું તમોને કહીશ.' તે સાંભળી દુર્લભદેવી બોલી કે “અપકાર ઉપર ઉપકાર કરવામાં તત્પર, પરના છિદ્રોને ઢાંકવામાં કર્તવ્ય સમજનાર તથા પોતાના જન્મ તેમજ કુળને સફળ કરનાર હે દયાળુ બહેન ! તમને નમસ્કાર હો, વારંવાર તમને મારો નમસ્કાર હો' એ પ્રકારે સહૃદયબોલીને ૧૫3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy