SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્રો થયા તેનું દેવાનું હતું તેથી આટલું દેવું પડ્યું. વળી કુમુદ વતીને ઘરે ભેંશે બે પાડાનો જન્મ આપેલો હતો તેથી વિચાર કરવા લાગી કે કોઈક આ બન્ને પાડાને હરણ કરી જાય તો સારૂ આવું દુર્થન કર્યું, તેથી જાતમાત્ર અને પુત્રોનો વિયોગ થયો. એવા પ્રકારે શ્રી સીમંધરસ્વામી મહારાજનાં વચન સાંભળીને સંશયરહિત થયેલો મહાનંદ પોતાને ઘેર આવ્યો અને તમામ વૃત્તાંત માતાપિતાને કહેવાથી માતાપિતા દીક્ષા લઈ સ્વર્ગે ગયા. અને મહાનંદે પોતાના બન્ને બંધુઓને ધર્મયુક્ત કર્યા, તેમજપોતે અવસરે દીક્ષા લીધી. કાળધર્મ પામી માહેંદ્ર નામના ચોથા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામી મોક્ષે જશે. જેમ મહાનંદે પોતાના લીધેલ નિયમને પૂર્ણ શ્રદ્ધાથી પાળી સ્વર્ગ મેળવ્યું તેમ ઉત્તમ જીવોએ પણ નિયમો ગ્રહણ કરી દ્રઢતાથી પાળવા ચૂકવવું નહિ. C પાંચ પાંડવોનું દ્રષ્ટાંત આO હસ્તિનાપુરમાં પાંચ પાંડવો રાજય કરતા હતા. તેમણે દીર્ઘકાળ સુધીરાજય કર્યું. તેમના પિતા પાડુરાજા દેવલોકે ગયા. તેમણે અવધિજ્ઞાનથી તપાસ કરી પુત્રોને બોધ કરવાનો વિચાર કર્યોને શાહુકારનું રૂપ લઈ પાંચ ઘોડા સહિત હસ્તિનાપુરનગરબહાર ઉભો રહ્યો પાંડવો ક્રીડા કરવા ગયા. ઘોડા સારાદેખી મૂલ્યથી માગ્યા તેણે કહ્યું “ મૂલ્યથી વેચવા નથી પણ મને જે કોઈ નવીન વાત સંભળાવે તેને એક ઘોડો મફત આપું.” આવી રીતે કહેવાથી મોટો પુત્ર યુધિષ્ઠિર એક ઘોડા ઉપર બેસી પૂર્વ દિશા તરફ ગયો. ક્ષણમાં બાર યોજન નીકળી જઈ અટવીમાં પડયો. ત્યાં ઉત્તમ મહેલ દેખ્યો. જંગલમાં મહેલ દેખવાથી આશ્ચર્ય થયું. સાતમી ભૂમિ ઉપર ચડ્યો ત્યાં સિંહાસન ઉપર કાગડાને બેઠેલો દેખ્યો. તેના મસ્તક ઉપર સિહે છત્રને ધારણ કરેલ છે. હંસલી તેમને ઉજજવલ ચામરોથી વીંઝી રહેલ છે. બીજા ઘણા જાનવરો વિવિધ ૧૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy