SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવાથી, વૃદ્ધે કહ્યું કે આપણે જે વૃક્ષ ઉપર રહીએ છીએ તે જ વૃક્ષ સર્વ પ્રકારના વ્યાધિને હરવાવાળું છે. આવું વચન મેં એકદા સાધુના મુખેથી સાંભળ્યું હતું. તે સાંભળી લલિતાંગ કુમાર તે વૃક્ષના પાંદડાને લઈ તે ભારંડ પક્ષી પગે વળગી સિંહલદ્વીપે ગયો, અને રાજાએ વગડાવેલા પડહને સ્પર્શ કરી, તે કન્યાને રોગરહિત તેમજ જાત્યંધપણાથી રહિત કરી. રાજાએ પણ તે કન્યા તેને પરણાવી અને અર્ધરાજય આપ્યું. અનુક્રમે સજ્જન નાપિત પણ ત્યાં આવ્યો અને રાજાને મલ્યો લલિતાગે પણ સ્નેહથી તેને બોલ્યા, અને પોતાના મહેલને વિષે રાખ્યો. એકદા તે દુખ નાપિતે રાજાને કહ્યું કે હે રાજન્ આ લલિતાંગ અમારા નગરમાં વસવાવાળો ચંડાળ છે. તે સાંભળી ક્રોધ, પામેલા રાજાએ તેનો ઘાત કરવા માટે, માર્ગને વિષે, ઘાતક પુરૂષને મૂકી ભરરાત્રિને વિષે રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો પરંતુ બુદ્ધિશાળી મદનરેખાએ મારું માથું બહુ દુઃખે છે આવા મિષથી જવા દીધો નહિ અને લલિતાંગને વેષ પહેરાવી રાજા પાસે સજ્જન નાપિતને મોકલ્યો તેથી રાજાના સાંકેતિક પુરૂષોએ મારવાથી મરીને નરકે ગયો, કારણ કે પરના દ્રોહી માણસો પોતે જ અંગ નામના પુરોહિતની પેઠે દુઃખી થાય છે. Cધર્મથી જય ઉપર સુરૂપા શેઠાણીની ક્યાં છે સમીયાણ દુર્ગ પરિસરે મહેવાસ નગરે સુરત્રાણ શેઠની ધનશ્રી નામની સ્ત્રી હતી અને સુરૂપા નામની તેની બહેનપણી હતી. અન્યદા સુકૃત સ્વરૂપવાળી સુરૂપા ધનશ્રી ને ઘેર મળવા આવી ત્યારે ભીંતના ખીલા ઉપર મૂકેલો સવાલક્ષ મૂલ્યનો બત્રીશ રત્નોથી બનાવેલો હાર, મોટા ઉંદરડાએ તોડવાથી નીચે રહેલા તેલના ભાજનમાં પડયો અને વિકલ્પ શક્તિ સુરૂપ પણ પોતાને ઘેર ગઈ. ધનશ્રીએ પોતાનો હાર નહિ જોવાથી નિશ્ચય કર્યો કે તે હાર સુરૂપ જ લઈ ગઈ, કારણ કે સુરૂપા M૧૧૯ ~ ૧૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy