SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તેથી મેં જાણ્યું કે તે મોતીઓ વિંધેલા નથી, અખંડ છે, તે સાંભળી અહો આ વૃદ્ધનું કૌશલ્યપણું મહાન ઉત્તમ છે, ઇતિ વારંવાર તેની પ્રશંસા કરી, તેને બહુમાન આપ્યું. કિંબહુના તે દિવસથી તેને રાજાએ બહુ પ્રકારે –ધન સુવર્ણાદિક બહુ જ આપી તેનો સત્કાર કર્યો. જૈનધર્મ અસ્તિત્વ મર્યાદા वासाण वीससहस्सा, नवसय तिमास पंचदिणपहरा । इक्का घडिया दो पल अखर अडयाल जिणधम्मो ॥१॥ ભાવાર્થ : વીસહજાર વર્ષનવસો વર્ષ, ત્રણમાસ પાંચ દિવસ, પાંચ પ્રહર, એકઘડી, બેપલ, અડતાલીશ અક્ષરના ઉચ્ચાર કાળપ્રમાણ જૈનધર્મ રહેશે એટલે વીર પરમાત્માથી એ ઉપરોક્ત કાલ સુધી પાંચમાં આરામાં જૈનધર્મની પ્રવૃત્તિ રહેશે, પછી જૈનધર્મ વિચ્છેદ થશે. ( મુર્ખનું દષ્ટાંત ) એક માણસ ઘરમાં કાંઈપણ કામધંધો નહિ કરતાં નિરંતર બેઠા બેઠા ખાધા કરતો હતો. તેને દેખી ઘરના માણસો બહુ જ દિલગિરિ થયા પણ કોઈ તેને મોઢામોઢ કહેતું ન હતું. એક દિવસ અણછુટકે લાચારીથી ઘરના એક માણસે તેને કહ્યું કે “ભલા માણસ ! તું ઘરમાં બેઠો બેઠો ખાય છે તો તે કયાં સુધી નભાવવું? વેપાર-ધંધા વિના બેઠા બેઠા ખાવું પાલવે કેમ? તે વખતે તે ચુપ રહ્યો બીજે દિવસે તે માણસે ભીંત ખોદી અંદર થાળીરહે તેટલી જગ્યાકરી અને ભોજન તૈયાર થઈને આવ્યું ત્યારે થાળી ભીંતમાં મૂકી ઉભો ઉભો ભોજન કરવા લાગ્યો તે દેખી ઘરના માણસોએ પૂછયું કે “અલ્યા વળી આ શું તોફાન ?” ત્યારે તેણે કહ્યું કે “તમે કાલે મને બેઠા બેઠા ખાવાની ના પાડી હતી તેથી આજે ઉભો ઉભો ખાઉં છું. M૧૧૬ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy