SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [[ શ્રીવિજયપઘ્રસૂરિકૃતकार्मणशरीरयोगी, चतुर्थके पंचमे तृतीये च ॥ समयत्रये च तस्मिन् , भवत्यनाहारको नियमात् ॥ ३॥ આ ત્રણે લોકોને અર્થ ઉપર જણાવ્યું છે. ૬૯ જીવે કયારે અનાહારક હોય તે જણાવી કયા ગુણસ્થાનકમાં જીવ મરતે નથી તે જણાવે છે – અગિ અનાહારકતા નિયમ અવધારિએ, મરણ કે લહેજ ના મિત્રે સયાગિ તેરમે, બારમા ગુણઠાણમાં પણ “પૂર્ણ દશપૂવી અને, અધિક નાણી નિશ્ચયે ધારણ કરે સમ્યકત્વને. ૭૦ સ્પદાર્થ –તથા ચૌદમા અગિ કેવલી ગુણસ્થાનમાં થનારા જ નિશ્ચ અનાહારી જાણવા. (૨૪) પ્રશ્ન-કયા કયા ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ થતું નથી? ઉત્તર–(૧) ત્રીજું મિત્ર ગુણસ્થાનક, (૨) તેરમું સગી કેવલી ગુણસ્થાનક અને (૩) બારમુ ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ નામનું ગુણસ્થાનક. આ ત્રણ ગુણસ્થાનકમાં વત તે જીવ મરણ પામતું નથી. ત્યાં મિશ્ર ગુણસ્થાનક લઈને જીવ પરભવમાં જતો નથી એટલે મરણ વખતે કઈ જીવ મિશ્ર ગુણસ્થાનકે અને તે પણ મિશ્ર ગુણસ્થાનમાં મરતે નથી કારણ કે મરણ પહેલાં છેલલામાં છેલું એક અંતમુહૂર્ત બાકી રહે ત્યારે મિશ્ર ગુણસ્થાનક ચાલ્યું જાય છે અથવા મિશ્ર ગુણસ્થાનકથી મિથ્યાત્વે અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચેથા ગુણસ્થાનકે જીવ જાય અને ત્યાં અંતમુહૂર્ત કાલ ગયા પછી તેનું મરણ થાય છે. અને બારમું ગુણસ્થાનક ક્ષપકશ્રેણિમાં મેહનીય કર્મને ક્ષય કર્યા પછી આવે છેઆ જીવ તેજ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે તેથી બારમા ગુણસ્થાનકમાં મરતે નથી. તેજ જીવ અંતર્મુહૂર્ત પછી તેરમા સગી ગુણસ્થાનકે આવે છે, ત્યાં પણ મરણ થતું નથી. કારણ કે મોક્ષે જનાર જીવ છેલ્લા ચૌદમા અગી કેવલી ગુણસ્થાનકે આવીને જ મોક્ષે જાય છે. (૨૫) પ્રશ્ન-કેટલા જ્ઞાનવાળા જ સમકિતી જ હોય? ઉત્તર–સંપૂર્ણ દશપૂર્વધરે તેમજ ત્યાંથી માંડીને અનુક્રમે આગળ સંપૂર્ણ ચૌદ. પૂર્વધરે અવશ્ય સમ્યગ્દષ્ટિ જ હોય છે. ૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy