SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃતકની માખતમાં સાધારણ નિયમ એવે છે કે તે કમ માંધ્યા પ્રમાણે ભાગવવું પડે. અહી અપવાદ એ છે કે નિયાણાંના ત્યાગ કરીને ક્ષમા ગુણ રાખીને પરમ ઉલ્લાસથી વિધિ ગ્રહિત તપસ્યા કરતાં નિકાચિત કર્મોના પણ નાશ થઈ શકે છે, વસ્તુસ્થિતિ આમ હાવાથી જ ચૌદમે ગુણઠાણે શુકલ ધ્યાન રૂપ તપથી ઘણા કર્મોના નાશ કરીને થાડા ટાઈમે અયાગી ભગવત સિદ્ધિપદને પામે છે. શ્રી જૈનેન્દ્ર શાસનમાં વિવિધ પ્રકારની તપસ્યાએ છતાવો છે, તેમાંની કેટલીએક તપસ્યાનું વર્ણન શ્રી જ્ઞાતાસૂત્ર-અતગડદશાંગ સૂત્ર વિગેરે દ્વાદશાંગી ગણિપિટકના અંગરૂપ ગણાતા સૂત્રમાં પણ આવે છે. ત્યાં તપસ્યાના છેવટના કુલ રૂપે એ પણ જણાવ્યું છે કે “ નાવ સેત્તુને સિદ્ધા (આથી એમ પણ સાબીત થાય છે કે ગિરિરાજનું નામ મુખ્ય સુત્રામાં પણ વખાણ્યુ છે, અને સમદષ્ટિથી વિચાર કરતાં તે વાત અનાદિકાલીન મૂર્તિપૂજાને પણ સિદ્ધ કરે છે) અહીં (૧) તપસ્યાને પ્રભાવ, (૨) તપ કરવાની વિશેષ જરૂરીયાત, (૩) તેમાંના શ્રી વર્ધમાન તપના પ્રભાવ, (૪) તેની વિધિ, તે પ્રમાણે આરાધના કરનારને શે લાભ થયા? વગેરે બીના જણાવીશું. 19 ૫ તપનું સ્વરૂપ ॥ લઘુકમી ભવ્ય જીવો વધારે પ્રમાણમાં કર્મોની નિરા કરવાને માટે જેની સેવના કરે તે તપ કહેવાય. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી તપ પદની સપૂર્ણ વિચારણા કરી શકાય છે. તેમાં ચક્રવતી વિગેરે રાજાએ છ ખંડની સાધના વિગેરે મુદ્દાથી જે તેર અઠ્ઠમ કરે, કેટલાએક લક્ષ્મીની ઈચ્છાવાળા અજ્ઞાન જીવે કેસરીમાજી વિગેરે તીર્થાદિ સ્થલે જઈને જે તપ કરે અને શત્રુના નાશ કરવાના ઈરાદાથી જે તપ કરાય તે દ્રવ્ય ૧૫ કહેવાય છે. અન્ય મતમાં જણાવેલા ચાંદ્રાયણ વિગેરે તમ પણ દ્રવ્ય તપ કહેવાય. નિયાણાની ભાવના વિના તપનું સ્વરૂપ સમજીને શુભ મુહૂર્ત ગુરુ મહારાજની પાસે નદી (નાંદ) ની પાસે વિધિપૂર્વક તપને ઉચ્ચારીને શાસ્ત્રાક્ત વિધિ પ્રમાણે પરમ ઉલ્લાસથી કેવલ (ફક્ત) કર્મીને ખપાવવાના મુદ્દાથી જે તપ કરાય તે ભાવ તપ કહેવાય. ભાવ તપની આરાધના કરનારા ભવ્ય જીવે એ તપનું સ્વરૂપ ઉપયેગ પૂર્વક વિચારતાં તપની સાધના કરે, તે તે જીવેને આગમ ભાવ નિક્ષેપના અભિપ્રાય તપ કહેવાય, તથા જે જીવા તપ મર્યા ન કરે. અને તપનું સ્વરૂપ ઉપયોગ પૂર્વક વિચારે તે આગમ ભાવ નિક્ષેપના અભિપ્રાય તપ કહેવાય. આ તપના ભાર ભેદ્ર દૃષ્ટાંત સાથે શ્રી ઉપદેશ પ્રાસાદ્રાદિ ગ્રંથામાં વિસ્તારથી જણાવ્યા છે. તપસ્યા કરનારા ભવ્ય જીવાના ગુણા પ્રશ્નલ પુણ્યાયે આવા તપ કરવાને અવસર મળે છે. તપસ્યાના કરનારા ભન્ય જીવાએ (૧) ક્ષમા, (૨) ધૈય, (૩) શાંતિ, (૪) થાડી નિદ્રા, (૫) રીતસર આહાર, (૬) નમ્રતા, (૭) સરલતા, (૮) મતેષ (૯) ભાગ તૃષ્ણાના ત્યાગ, (૧૦) બીજાની નિંદા નહિ કરવી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy