SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ | શ્રીવિજ્યપધસૂરિકૃત૮ ભાવ–સિધ્ધના જીવમાં ક્યા ક્યા ભાવે હોય છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે, કે સિધ્ધમાં ૧ ક્ષાયિક ભાવ ૨ પરિણામિક ભાવ એમ બે ભાવ હોય છે, પરંતુ તે સિવાયના ત્રણ ભાવે તેમનામાં હેતા નથી. તેમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન ક્ષાયિક ભાવે રહેલું છે. અને પારિણામિક ભાવે તેમનામાં જીવત્વ રહેલું છે. બાકીના ત્રણ ભાવ ઔદયિક, શાપથમિક અને ઔપશમિક કર્મજનિત હોવાથી અને સિધ્ધમાં કર્મો નહિ હેવાથી નથી. બહુત્વ-ત્રણ લિંગમાંથી કયા લિંગવાળા વધારે મેક્ષે ગયા અને કયા લિંગવાળા ઓછા મેક્ષે ગયા છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે સૌથી ચેડા નપુંસકલિંગે સિધ્ધ થયા છે. કારણ કે જન્મથી નપુસકે મોક્ષે જતા નથી અને કૃત્રિમ નપુસકે વધારેમાં વધારે એક સાથે ૧૦ મેક્ષે જાય છે. તેમના કરતાં સ્ત્રીલિંગે મોક્ષે જનારા સંથાત ગુણ જાણવા. કારણ કે તેઓ એક સાથે ૨૦ મેક્ષે જાય છે. તેમનાથી પુરૂષલિંગે સિધ્ધ થએલા સંખ્યાત ગુણ જાણવા. કારણ કે તેઓ વધારેમાં વધારે ૧૦૮ મેક્ષે જાય છે. તે એ પ્રમાણે નવ અનુયેાગ દ્વારનું સ્વરૂપ જાણવું. ૧૧૬ આત્માને સાચી સ્વસ્થતા કયારે હોય, તે સમજાવે છે – જ્ઞાનાદિ રૂપ છે આતમા તેમાં રમે છે સ્વસ્થ છે, સત્ય ધન પણ તેજ પામે જેહ નિર્મોહી જ તે; પુદ્ગલે પુદગલ તણા છે ગ્રાહકે એ નિયમથી, સિંધને કર્મ નથી તો દેહ જન્માદિક નથી. ૧૧૭ સ્પષ્ટાર્થ – આ આત્મા જ્ઞાનાદિ રૂપ છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના ગુણે છે અને જ્યારે આત્મા આ પિતાના ગુણેમાં રમણતા કરતે હોય છે ત્યારે તે સ્વસ્થતાને પામે છે, માટે આત્મા જ્યારે નિર્મોહી એટલે મેહ વિનાને બને છે ત્યારે જ તે સાચા ધન રૂ૫ પિતાના નિર્મલ ગુણને મેળવે છે. પરંતુ જ્યાં સુધી તે મોહ દશામાં વર્તતે હોય છે ત્યાં સુધી તે બેટા ધન રૂપ સેના, રૂપા, હીરા, માણેકને પિતાનું ધન ગણે છે અને તેમાં રાચતે તે જીવ ખરી શાંતિને પામતે નથી. માટે બાહ્ય ધન તરફની રમણતા દૂર કરનાર નિર્મોહી આત્માજ સાચા ધનને મેળવે છે. જ્યાં સુધી આત્માને કદિ પુદ્ગલેને સંબંધ છે ત્યાં સુધી તે અન્નાદિ ગુગલેને ગ્રહણ કરે છે અને તેને પિતાના માને છે, પરંતુ સિદ્ધના જીને કર્યો રૂપી પુદ્ગલે નથી તેથી તેઓને શરીર, જન્મ વગેરે હતા નથી. ૧૧૭ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy