SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘસરિકૃત રીતે પાંચ ભેદ જાણીને ત્યાગ કરવા લાયક છે. અશુભ ભાવનાનું સ્વરૂપ સમજીને તેથી આત્મા દૂર રહીને પરમ શાંતિથી શુભ ભાવનાઓ ભાવીને નિજ ગુણ રમણતાને અપૂર્વ આનંદ અનુભવે છે, માટે શુભ ભાવનાઓને સમજતાં પહેલાં તે પાંચ અશુભ ભાવનાઓને જરૂર જાણવી જોઈએ. આ મુદ્દાથી ટૂંકામાં તે પાંચ ભેદનું સ્વરૂપ જણાવું છું – ૧ કાંદપી ભાવના–શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ પાંચ કામ ગુણોની વિચારણા. ૨ કૅલિબષી ભાવના-દ્વેષાદિ નિમિત્તે કલેશાદિ કરવાની વિચારણા. ૩ આભિગીકી ભાવના–ચુદ્ધાદિની વિચારણા. ૪ દાનવી ભાવના (આસુરી ભાવના)-મોહ મદ મત્સરાદિની વિચારણા. પ સંહી ભાવના–કુટુંબાદિમાં મમતા વગેરે પિષનારી વિચારણા. આ પાંચ અશુભ ભાવનાઓમાં વિષય કષાયાદિને પિષનારી તમામ અશુભ ભાવનાઓને સમાવેશ કર્યો છે એમ સમજીને ચિત્ત રૂપી જલને (પાણીને) નિર્મલ બનાવવાને માટે કતક ફલના ચૂર્ણ જેવી શુભ ભાવનાઓ નિરંતર જરૂર ભાવજો. આ શુભ ભાવનાઓમાં એક પણ શુભ ભાવનામાં લીન બનેલા આત્માઓ ઘણાં ચીકણાં કર્મોરૂપી કાષ્ટને બાળી કેવલજ્ઞાની થઈને સિદ્ધિ પદને પામ્યા છે, પામે છે, ને પામશે. તેથી હે રાજર્ષિ! તમે તે ૧૬ ભાવનાઓનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે વિચારો— ૧ અનિત્ય ભાવના, ૨ અશરણ ભાવના, ૩ સંસાર ભાવના, ૪ એકત્વ ભાવના, ૫ અન્યત્વ ભાવના, ૬ અશુચિત્વ ભાવના, ૭ આશ્રવ ભાવના, ૮ સંવરભાવના, ૯ કર્મનિર્જરા ભાવના, ૧૦ લોક સ્વભાવ ભાવના, ૧૧ બોધિ દુર્લભ ભાવના, ૧૨ ધર્મભાવના સહિત તે ધર્મના કહેનાર શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની ભાવના. ૧૩ મૈત્રી ભાવના, ૧૪ પ્રમાદ ભાવના, ૧૫ કરૂણ ભાવના, ૧૬ માધ્યશ્ય ભાવના. આ રીતે તે ૧૬ ભાવનાનાં નામ જાણવા. તે દરેક ભાવનાનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ૧ અનિત્ય ભાવના–હે જીવ! આ અનિત્યત્વ રૂપ (અનિત્યપણા રૂપી) રાક્ષસ જે વજ જેવા મજબૂત શરીરને ધારણ કરનારા શ્રી તીર્થંકર ગણધર વગેરે લકત્તમ મહાપુરુષને તથા ૩૩ સાગરેપમ પ્રમાણ દીર્ઘ આયુષ્યવાળા અનુત્તર વિમાનવાસી દેવ વગેરે શ્રેષ્ઠ દેવેને પણ ગળી જાય છે, તે પછી કેળના ગર્ભની જેવા તુચ્છ (દુર્બલ) શરીરને ધારણ કરનારા તારા જેવા જીવોને ગળી જાય, એમાં નવાઈ શી? આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે૬ સંઘયણમાં વાર્ષભ નારાચ સંઘયણ ઉત્તમ કહ્યું છે. કારણ કે તે બહુ જ મજબૂત હોય છે. તેવા સંઘયણવાળા જીવો પણ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષમાં કે દેવ ગતિ આદિમાં જાય છે. તેઓ પણ અહીં કાયમ રહી શક્તા નથી, તો પછી સેવા (છેવટ્રા) જેવા હલકા સંઘયણને ધારણ કરનારા જી આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિને તજીને ચાલ્યા જાય, એમાં લગાર પણ આશ્ચર્ય પામવા જેવું છેજ નહિ. સંસારી જીવ ચાર ગતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy