SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ નચિંતામણિ ભાગ પાંચમ ] તથા શ્રેષને સત્તામાંથી પણ ક્ષય કરે છે ત્યારે સાચું (એટલે બહારથી દેખાવ રૂ૫ લાગે તેવું નહિ પરંતુ વાસ્તવિક) તથા સ્થિર (એટલે હંમેશાં કાયમ રહેનારૂં સુખ છે જેમાં એવું) જીવન તેમજ પરમ શાંતિવાળું જીવન જીવી શકે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે-ક્ષણ વારમાં નાશ પામનાર સ્ત્રીના શરીર વગેરેના રાગથી તથા ક્ષણમાં નાશ પામનાર ધન દેલત વગેરે પદાર્થોના રાગને લીધે રાગી છે ઘણાં ભયંકર દુઃખો ભેગવે છે. અને વૈરાગ્યને લીધે ઉત્તમ મુનિઓ નિર્દોષ એટલે અશાંતિ આદિમાંના કેઈ પણ દેષ વિનાના સુખને તેમજ શાંતિને મેળવે છે. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને હે જીવ! તું શ્રેષને સંગ તને વૈરાગ્ય ભાવે પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની આરાધના કરજે. ૧૬૬ આત્મા તથા પુદા જુદા છે વગેરે સ્વરૂપ ચાર કેમાં જણાવે છે – હે જીવ! તું ના કેઈને તારૂં ન કોઈ છતાં સદા, મેહાદિથી પુત્રાદિને મારા ગતા આપદા; પામે ઘણી સ્વાથી સગાઈ તરૂ ઉપર પંખી પરે, સ્વાર્થ મળ્યા સૌ તેહ સરતા આપ પથે સંચરે. ૧૬૭ સ્પાથ– હે જીવ! તું કઈ નથી તેમજ તારૂ પણ કેઈ નથી, તે છતાં પણ તું મહાદિથી એટલે મોહ તથા અજ્ઞાનને લીધે પુત્ર મારે છે, ધન મારૂં છે, ઘર મારૂં છે એ પ્રમાણે જે તારૂં નથી, તેમાં મારાપણું માનવાથી તે ઘણી આપત્તિઓને ભેગવી છે. જે માત પિતા, પિતા પુત્ર, ભાઈ બહેન વગેરેની સગાઈ સંસારમાં ગણવામાં આવે છે તે સ્વાર્થની જ સગાઈ છે. કારણ કે જ્યાં સુધી તારી પાસેથી કાંઈ મળવાની આશા હશે ત્યાં સુધી જ તે સગાંઓ તારા કામમાં આવવાના છે. પરંતુ જે તારી પાસેથી કાંઈ મળવાનું નહિ રહે, તે તો તેઓ તારો જરૂર ત્યાગ કરવાના છે. વળી તે સગાઈ પણ એક ભવનીજ છે. એવી અનેક જાતની સગાઈઓ તારે ભવે ભવે થએલી છે, માટે એવી જે સગાઈ તે તો ઝાડ ઉપર જુદી જુદી દિશાથી આવીને બેઠેલા પંખીઓના મેળા જેવી છે. જેમ ઝાડ ઉપર ફળાદિ કાંઈ ખાવાનું હશે ત્યાં સુધી પંખીઓ તે વૃક્ષને આશરે લેશે. પરંતુ જ્યારે વૃક્ષ પાસેથી કાંઈ મળવાનું નહિ હોય ત્યારે તે પંખીઓ ત્યાંથી ઉડી જશે અને બીજે જઇને બેસશે. એવી જ રીતે તું આ સગાંઓની સગાઈને પણ જાણજે. તે બધાના મોહમાં ફસાઈને તારા આત્માનું બગાડીશ નહી. ૧૬૭ જ્ઞાનાદિ ત્રણ છે તાહરા તારી કને જ તપાસજે, કર્મમેધે તે તિરહિત આત્મદૃષ્ટિ વિચારજે, આત્મતત્વ વિચારણે નિજ ગુણ રમણતા રંગથી, કર્મ વાદળ વિખરતા તે પ્રકાશે તેજથી ૧૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy