SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. પ્રકારને ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવઘે તેને કહ્યું કે “જો તું દીક્ષા ગ્રહણ કરે તે હું તને છોડી દઉં.” તે સાંભળીને મહાભારથી પીડા પામતે અહત બે કે“હું વજ જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુમ્ભ થઈ ગયો છું; તેથી આવા ભાર કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.” પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયે. દેવના ગયા પછી અહંદૂત્ત વ્રત તજીને પાછા પિતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો; એટલે ફરીથી જલોદરને વ્યાધિ ઉત્પન્ન કર્યો, અને પૂર્વનીજ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચેથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હંમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતે તે દેવ કેઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અહર્તિ તેને કહ્યું કે “ઘાસને ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?” દેવ બોલ્યો કે “ જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં જઈને તું કેમ પ્રવેશ કરે છે?” તે સાંભળીને પણ બંધ નહીં પામેલા અહંદૂત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અહંદૂત્ત બોલ્યો કે “સાર માર્ગ મૂકીને ઉન્માર્ગમાં કેમ ચાલે છે ?” દેવ બોલ્યો કે “જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઈચ્છા કરે છે?” આવી રીતે કહ્યાા છતાં પણ અહદત્ત બોધ પામ્યો નહીં, તે પણ “કાયર ન થવું એજ સંપત્તિનું સ્થાન છે” એમ જાણીને તે દેવ તેની સાથેજ આગળ ચાલ્યો. માર્ગમાં કઈ એક ચિત્યમાં લેકેથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યું. તે જોઈને અહંદુત્તે કહ્યું કે “આ વ્યંતર જેમ લોકેથી પૂજાય છે તેમ તેમ અધમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જે બીજે કઈ અન્ય પૃથ્વી પર જણાતો નથી.” તે સાંભળી તેને દેવે કહ્યું કે “સંયમ રૂપી ઉંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે તે મૂMશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.” તે સાંભળીને અહંદૂત્તે તેને પૂછયું કે “વારંવાર આવી રીતે બેલનાર તમે કેણ છે?ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને અહં તેને પૂછ્યું કે “હું પૂર્વે દેવ હતું તેની ખાત્રી શી?” એટલે દેવ તેને વૈતાઢય પર્વત પર લઈ ગયો, અને પુષ્કરિણી(વાવ)માં પેવેલાં તેના નામથી અંકિત એવાં બે કુંડળ કાઢીને તેને દેખાડયાં, તે જોઈને અહંદૂત્તને જાતિસ્મરણ થયું, તેથી પ્રતિબંધ પામીને તે ભાવચરિત્ર પામે. આ રીતે તેને ધર્મમાં સ્થિર કરીને તે મૂક દેવ સ્વસ્થાને ગયે. સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મેહને અતિ દુર્જય કહેલો છે, તે મોહને મૂકી દેવે ત્યાગ કરાવ્યો ત્યારેજ અહદત્ત ધર્મ પામીને મોક્ષે ગયે.” ૧૩૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy