SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ નાપિતામણિ ભાગ પાયમ ) સ્પષ્ટાર્થ –તે વખતે બાકીના ૬૩ ઈન્દ્રો પણ તેમના આસને કંપાયમાન થવાથી પ્રભુને જન્મ જાણીને પ્રભુને સ્નાત્ર મહત્સવ કરવાને પિત પિતાના સ્થાનથી સીધા નીકળીને મેરૂ પર્વત ઉપર જલદીથી આવ્યા. ત્યાર પછી પૂર્વે (દેશના ચિં. પ્રથમ ભાગમાં) કહ્યા પ્રમાણે સેના વગેરે આઠ જાતના કલશેમાં દેવે પાસે મંગાવેલા ક્ષીર સમુદ્રના તથા માગધ વગેરે તીર્થોનાં પાણી ભરીને બાલ પ્રભુને હરાવ્યા. તે વખતે સૌધર્મેન્દ્ર મેરૂ પર્વતની શિલા ઉપર આવેલા સિંહાસન ઉપર પ્રભુને પોતાના ખેાળામાં લઈને બેસે છે. પ્રથમ અય્યતેન્દ્ર અભિષેક કરે છે. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીના ક્રમે અભિષેક કરતા કરતા છેવટે ઈશાનેન્દ્ર સ્નાત્ર કરે છે. તે પછી જ્યારે છેલ્લે સૌધર્મેન્દ્રને સ્નાત્ર કરવાને વારે આવે છે, ત્યારે શકેન્દ્ર પોતાના ખોળામાં રહેલા બાળપ્રભુને ઈશાનેન્દ્રના ખોળામાં મૂકે છે. પછી સૌધર્મેન્દ્ર વૃષભનું રૂપ કરીને શિંગડામાં પાણી ભરીને વિસ્તારથી અભિષેક કરે છે. ૬૪ લેપ વસ્ત્રાદિક વિધાને આરતી ઉતારતા, ભક્તિ બહુમાને પ્રભુની એમ સ્તવના બોલતા હે દેવ ! તુજ શુભ જન્મ કલ્યાણક બલે આ મેદિની, કલ્યાણવંતી થઈ જરૂર ઇમ ભાવના આ દાસની. ૬૫ સ્પષ્ટાર્થનાત્ર કર્યા પછી શહેન્દ્ર પ્રભુને સુગંધી વિલેપન કરીને વારિકનું પહેરાવવું વગેરે કાર્યો કર્યા પછી અંતે આરતી ઉતાર્યા પછી ભક્તિ અને બહુમાન પૂર્વક પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા...હે દેવ! આપના આ શુલા જન્મ કલ્યાણકના પ્રભાવે આ પૃથ્વી (પૃથ્વી પર રહેનારા છે) જરૂર કલ્યાણવંતી એટલે કલ્યાણને (પરમ સુખને) પમાડનારી થઈ છે એવી આ દાસની શુભ ભાવના ( માન્યતા ) છે. કારણ કે આપના કલ્યાણક સર ને દ્રવ્યથી ને ભાવથી કયાણ કરવાવાળા છે. વળી તેના પ્રભાવે આ સંસારના દુઃખી જીના પણ મન વચન અને કાયાના કો નાશ પામે છે એટલે આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને પરંપરાએ આરાધક ને મોક્ષ દાયક પણ થાય છે. એમ આપનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ભવ્ય જીવનું જરૂર કલ્યાણ જ કરે છે. આવા અનેક મુદ્દાઓથી ચ્યવનાદિ પાંચે શુભ પ્રસંગે કલ્યાણક શબ્દથી ઓળ ખાય છે. ૬૫ ૬ શ્લોકમાં ઈન્દ્ર મહારાજે કરેલ પ્રભુની સ્તુતિનું વર્ણન કરે છે– વિચરશે જ્યારે મહીપર ત્યારની તે વાત શી, કરવી ? પ્રત્યે ! તુજ દર્શને મુજ ધન્ય દષ્ટિ ઉલ્લસી, આપની પૂજા કરંતા કર કતાર્થ બન્યા અને, સ્વર્ગમાં નહિ શાંતિ તેવી જે મળે અહિં મને. ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy