SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિતામણિ ભાગ ચોથો ] મહારાજ નંદીશ્વર દ્વીપે જાય છે. અહીં સમજવાનું એ છે કે બાકીના ૬૩ ઇદ્રો તથા દેવાદિ પરિવાર મેરૂ પર્વત ઉપરથી સીધા નંદીશ્વર દ્વીપે જઈને પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. ઇંદ્રાદિકે કરેલા આ જન્મ કલ્યાણકના પ્રસંગે ખાસ સમજવા જેવી કલશ વગેરેની બીના પ્રશ્નોત્તર રૂપે ટૂંકામાં આ રીતે જાણવી. પ્રશ્ન-તીર્થકર દેને જન્માભિષેક ઇંદ્રાદિ દેવો મેરુ પર્વત ઉપર કરે છે, તે વખતે જલાદિથી ભરેલા એક કરોડ સાઠ લાખ કલશેથી અભિષેક કરે છે એમ શ્રી કલ્પકિરણવલી વગેરેમાં જણાવ્યું છે. આ સંખ્યા સમજવાને ઉપાય છે? - ઉત્તર–કલશેની ૬૪૦૦૦ સંખ્યાને અભિષેકની ૨૫૦ સંખ્યાએ ગુણાકાર કરવાથી ૧૬૦૦૦૦૦ સંખ્યા આવે. કલાની ૬૪૦૦૦ સંખ્યા લાવવાને ઉપાય ટૂંકામાં આ પ્રમાણે જાણ–૧ સેનાના કળશે, ૨ રૂપાના કળશે, ૩ રત્નના કળશે, ૪ માટીના કલશે, ૫ સોના રૂપાના કળશો, ૬ સેના રત્નના કળશે, ૭ રૂપા રત્નના કળશ, ૮ સોનું રૂપું રત્ન આ ત્રણેના કળશે, આ આઠ જાતિના કળશે અભિષેકમાં વપરાય છે. તે દરેક જાતિના આઠ આઠ હજાર કલશો જાણવા. તેથી આઠ હજારને આડે ગુણતાં ૬૪૦૦૦ થાય. હવે ૨૫૦ અભિષેકની સંખ્યા આ રીતે જાણવી. ભુવનપતિના ૨૦ ઈંદ્રો હોય છે, કારણ કે દરેક નિકાયમાં દક્ષિણ એણિન અને ઉત્તર શ્રેણિને એકેક ઇંદ્ર હોય છે. એ જ પ્રમાણે વ્યંતરના ૧૬ ઇંદ્રો અને વાણવ્યંતરના ૧૬ ઈંદ્રો હોય છે.વૈમાનિકના બે ભેદમાં કલ્પપપન્ન બાર દેવલોકના ૧૦ ઈદ્રો હોય છે. કારણ કે છેલ્લા ચાર દેવલોક (આનત–પ્રાણત-આરણઅય્યત )માં બબ્બે દેવલોકે એકેક ઇંદ્ર હોય છે. એટલે નવમા-દશમા દેવલોકન એક ઇંદ્ર અને અગીઆરમા બારમા દેવલેકને એક ઈંદ્ર તથા શરૂઆતના આઠ દેવલોકના આઠ ઈંદ્ર આ રીતે વૈમાનિકના ૧૦ ઈંઢો જાણવા. ૨૦+૩૨+૧૦=૬૨ ઇંદ્રોના ૬૨ અભિષેક થાય છે. તથા મનુષ્ય લોકના ૧૩૨ સૂર્ય ચંદ્રોના ૧૩૨ અભિષેક અલગ અલગ થાય છે. તે ૧૩૨ સૂર્યાદિ આ રીતે જાણવા. જંબુદ્વીપના ૨ સૂર્ય ૨ ચંદ્રમા, લવણુ સમુદ્રના ૪ સૂર્ય ૪ ચંદ્રમા, ઘાતકી ખંડના ૧૨ સૂર્ય ૧૨ ચંદ્રમા, કાલોદધિ સમુદ્રના ૪૨ સૂર્ય ૪૨ ચંદ્રમા, અડધા પુષ્કરવર દ્વીપના ૭૨ સૂર્ય ૭૨ ચંદ્રમા. આ રીતે ૨+૪+૧૨+૪૨૭૨=૧૩૨ થાય. તથા અસુરકુમાર નિકાયની દક્ષિણેત્તર દિશાની દશ ઈંદ્રાણુઓના દશ અભિષેક જાણવા, ને નાગકુમારાદિ નવ નિકાયની બાર ઇંદ્રાણીઓના ૧૨ અભિષકે જાણવા. વ્યંતરની ચાર ઇંદ્રાણીઓના ચાર અભિષેક, તિષીની ચાર ઈંદ્રાણીઓના ચાર, પ્રથમના બે દેવલેક (સૌધર્મઈશાન)ની સોલ ઈંદ્રાણીઓના ૧૬ અભિષેક જાણવા. આ રીતે ૧૯૪ ઈંદ્રોના અભિષેક, ને ૪૬ ઇંદ્રાણીઓના ૪૬ અભિષેક થાય. સામાનિક (ઇદ્રની સરખી ઋદ્ધિવાળા) દેવને ૧ અભિષેક, ત્રાયશ્ચિંશક (ગુરુસ્થાનીય) દેવેને ૧ અભિષેક, ચાર લોક્માલ દેના ચાર અભિષેક, અત્યંતર મધ્યમ બહાસભાના દેવેને ૧ અભિષેક, સિન્યાધિપતિ દેવેનો ૧ અભિષેક તથા પ્રકીર્ણક દેવેને ૧ અભિષેકઆ રીતે સામાનિકાદિ દેના ૧૦ અભિષેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy