SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] સંબંધી તેર સ્થાનકની ભાવના (હકીકત) જણાવી. હવે ત્યાર પછીના છેલ્લા ભવમાં એટલે જે ભવમાં પ્રભુ અભિનંદન સ્વામી નામના ચોથા તીર્થંકર થયા, તે સબંધિ ભવમાં એકસો સત્તર બોલ પૈકી બાકી રહેલા એક સત્તાવન બેલ (સ્થાનકે)ની બીના જણાવું છું. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રને વિષે કેશલ નામના દેશમાં (૧) અયોધ્યા નામની (૧૫) નગરી આવેલી છે. આ નગરી ઘણી સુંદર છે. તેથી ઈન્દ્રની અલકાપુરી સરખી લાગતી આ નગરી ઘણુ મોક્ષગામી ભવ્ય જીના જન્મ સ્થાનરૂપ હતી. એટલે આ નગરીમાં જન્મેલા ઘણાં ભવ્ય જીવ મેક્ષે ગયા છે. ૧૧ જ્યાં પ્રતિગ્રહ સ્તંભ પ્રતિબિંબિત શશી દર્પણ સમા, - ઘર આંગણાંના તરવરે વર હારથી સુરતરૂ સમા; ચૈત્ય શ્રેણિ ગિરિ સમી ચિત્યાગ્ર ભૂમીમાં પડ્યા, તારા તણાં પ્રતિબિંબ પુષ્પાંજલિ સમા દીપી રહ્યા. ૧૨ સ્પષ્ટાથ–આ અયોધ્યા નગરીમાં દરેક ઘરમાં રહેલા મણિ રત્ન જડિત થાંભલાઓમાં પ્રતિબિંરૂપે દેખાતે ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગાર રૂપ દર્પણ (ચાટલા)ની શોભા આપે છે એટલે તે થાંભલાઓ ચાટલા જેવા શોભે છે. વળી ત્યાં દરેક ઘરના આંગણામાં રહેલા વૃક્ષો ઉપર કીડાની મયૂરીઓએ ખેંચી ખેંચીને હાર લટકાવેલા છે, તેથી તે વૃક્ષ સુરતરૂ એટલે કલ્પવૃક્ષ જેવા જણાય છે. તથા આ નગરીમાં રહેલી ચિત્યની શ્રેણીઓ એટલે લાઈનસર રહેલા જિનમંદિર ઝરતાં ચંદ્રકાંત મણિઓથી ઝરણાંવાલા મોટા પર્વતની લીલાને વિસ્તારે છે. આમ કહેવાનો ભાવાર્થ એ છે કે આ જિનમંદિરે ઉંચા પર્વની પેઠે ઘણાં ઉંચા હતા, તેમજ એ ચેત્યોની અગ્રભૂમિ એટલે આંગણામાં પડતા તારાના પ્રતિબિંબ દેવતાઓએ જાણે પુષ્પાંજલિ મૂકી હોય તેવા શોભે છે. ૧૨ ઘર વાવડીમાં બાલિકાઓ ખેલતી ને નીકળતી, ક્ષીરાબ્ધિ લક્ષ્મીને હરંતી કમળવંતી દીસતી, ઉઘાનથી તસ બાહ્ય ભૂમી શ્યામવર્ણ લાગતી, તસ વડની ચારે તરફ ગુરૂ ખાઈ સુંદર દીસતી. ૧૩ સ્પાથ જેમાં બાલિકાઓ ખેલી રહેલી છે, એવી દરેક ઘરની વાવડીઓ, જેમાંથી અપ્સરાઓ નીકળે છે, એવા ક્ષીર સમુદ્રની શેભાને હરી લે છે. એટલે વાવડીઓ ક્ષીર સમુદ્રથી પણ વધારે શોભતી જણાય છે અને બાલાઓ અપ્સરાઓથી પણ અધિકરૂપવાળી જણાય છે. અને આ વાતને વિષે પાણી ઉપર જણાતાં કંઠ સુધી પાણીમાં ડૂબેલી તે બાલિકાઓના મુખે જાણે સુવર્ણના કમળો હોય તેવી જણાય છે, તેથી તે વાવ જાણે સોનાના કમળથી શેભતી ન હોય તેવાં જણાય છે. તથા આ નગરીની બહાર આવેલાં મેટાં ઉદ્યાનને લીધે એટલે બાગ બગીચાઓને લીધે તે નગરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy