SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપuસરિકૃતઅર્થ–“સમતા ગુણે કરીને જેને આત્મા શુદ્ધ છે, અને જેણે ઇન્દ્રિયને જય કરેલ છે અને શુદ્ધ મોક્ષમાર્ગની આરાધના રૂપ ક્રિયામાં તત્પર છે, તે ભવ્ય જીવ પિતે સંસાર સાગરને તરે છે અને બીજા ને તારવાને સમર્થ થાય છે.” વિશેષાર્થ—તત્ત્વથી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, અને ક્રિયાપર એટલે આત્મસાધનના કારણને અનુસરનારી ગપ્રવૃત્તિ રૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિ રુપ એવી જે કિયા તેમાં ત૫ર થયેલે જીવ સ્વપતારક થાય છે. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાધક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ કાયા વિગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક કિયા કહેવાય છે, અને શુદ્ધ એવી ગુપ્તિ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાયાદિકની ક્રિયા તે સાધક કિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જ રારુપ ક્રિયા કરવી તે ભાવ ક્રિયા કહેવાય છે. બીજી નામ કિયા, સ્થાપના ક્રિયા અને દ્રવ્ય ક્રિયા પૂર્વની જેમ જાણી લેવી. ૧. નિગમ નય-ક્રિયા કરવાના સંકલ્પનેજ કિયા કહે છે. ૨. સંગ્રહ નય-સર્વે સંસારી અને સક્રિય (ક્રિયાને કરનાર) કહે છે. ૩. વ્યવહાર નય–શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ૪ ઋજુસૂત્ર નય-કાર્યનું સાધન કરવા માટે યોગવીયરની પ્રવૃત્તિના પરિણામ ૫ કિયાને કિયા કહે છે. ૫. શબ્દ નય–આત્મવીર્યની ફુરણારુપ ક્રિયાને ક્રિયા કહે છે. ૬ સમભિરુઢ નય-આત્મગુણની સાધના કરવા માટે કરાતી બધી કરવા લાયક વ્યાપારરુપ ક્રિયાને કિયા કહે છે, અને ૭ એવંભૂત નય-આત્મતત્ત્વના એકત્વપણું રુપ વીર્યની તીક્ષણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક જ્ઞાનાદિ, ગુણપરિણમન રુપ ક્રિયાનેજ ક્રિયા કહે છે. અહીં સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગ રૂપ ક્રિયા જ મેક્ષને પમાડનારી છે. માટે જ્ઞાનતત્ત્વવડે કરીને આત્મતત્ત્વને (નિજગુણરમણતાને ) સાધવા માટે નિર્મલ ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે જ્ઞાનાચારાદડપીછાઃ શુદ્ધસ્વસ્વપદાવાધ” પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઈષ્ટ માનેલા છે. આ વચનનું તાત્પર્ય એ છે કે–ફાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય, ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વિગેરે આઠ ભેદે દર્શનાચારનું સેવન કરવું અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ વિનય વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારનું નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુપ્તિ રુપ આઠ ભેદે ચારિત્રાચારનું સેવન કરવું. શુકલધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી બાર પ્રકારના તપાચારનું સેવન કરવું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલ અને સમતાએ કરીને શુદ્ધ સ્વરૂપવાળો તથા જીતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy