SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] સ્પષ્ટાઈ–વળી આ લગ્નના પ્રસંગે સૌભાગ્યવંતી કુલાંગનાઓ ધવલ મંગલ એટલે લગ્નનાં માંગલિક ગીતો ઘણા આનંદપૂર્વક ગાતી હતી. એ પ્રમાણે ઘણુ આનંદપૂર્વક લગ્નને મહોત્સવ વિસ્તારથી સંપૂર્ણ થયે એટલે પ્રભુનું પાણિગ્રહણ થયું. તે વખતે પ્રભુ જે કે રત્નની જેમ નિર્વિકારી એટલે વિકાર અથવા વિષયવાસનાથી રહિત હતા તે પણ વ્યાવહારિક સુખ ભોગવીને ભેગાવલિ કર્મોને ખપાવતા હતા. એ પ્રમાણે ગૃહસ્થભાવે સુખ ભોગવતા પ્રભુના પંદર લાખ પૂર્વ વર્ષો પસાર થયા. ચોરાસી લાખ વર્ષે એક પૂર્વીગ થાય છે. તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે માટે ૮૪૦૦૦૦૦ ને ૮૪૦૦૦૦૦ સાથે ગુણીએ ત્યારે ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે. પ્રભુશ્રી સંભવનાથ આવા ૧૫ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં (રાજા થયાની પૂર્વની અવસ્થામાં) રહ્યા. તેથી તેજ પ્રભુને કુમારકોલ પણ કહી શકાય. ૯૦. નૃપ જિતારિ ચરણ લેવા પુત્રને રાજા કરે, ચારિત્રને આરાધતા ઈશાન કલ્પે સંચરે; માતા લહે શિવસંપદા પ્રભુ પુષ્પ માલાની પરે, પાલન કરે પૃથ્વીતણું લોકો પ્રશાંતિમાં ફરે. સ્પષ્યા–જિતારિ રાજાને ચારિત્ર લેવાની ભાવના થઈ તેથી પિતાના પુત્ર શ્રી સંભવનાથ કુમાર) ને રાજા બનાવ્યું. પછી જિતારિ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્રની આરાધના કરીને તેઓ બીજા ઈશાન દેવલોકમાં ગયા. પ્રભુની માતા સેનારાણી પણ ચારિત્ર લઈ તેની આરાધના કરીને મેક્ષે ગયા. રાજા બન્યા પછી પ્રભુ ફૂલની માળાની જેમ પૃથ્વીનું પાલન કરતા હતા. તેથી લોકો ઘણું સુખી હતા અને ઈચ્છા મુજબ શાંતિથી એટલે કેઈ પણ જાતના ભય વગર ફરતા હતા. ૯૧. કેઈની પર ભ્રકુટી પણ ન ચઢાવતા પ્રભુ રાજ્યમાં, લાખ ચુમ્માલીસ પૂર્વે ચાર પૂર્વાગ હર્ષમાં વિતાવતા પ્રભુ એકદા સંસાર સ્થિતિ ઈમ ચિંતવે, ઝેરવાળા અન્ન જેવું વિષય સુખ દુઃખ થે ભવે. સ્પષ્ટ –પ્રભુ રાજ્ય કરતા હતા ત્યારે કેઈન ઉપર ભ્રકુટી પણ ચઢાવતા મહેતા અથવા કોઈના ઉપર હેજ પણ ગુસે લાવતા નહોતા. એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને ચુમ્માલીસ લાખ પૂર્વો ને ઉપર ચાર પૂર્વાગ આનંદ પૂર્વક પસાર થઈ ગયા. એક વખત પ્રભુ શ્રી સંભવનાથ આ રીતે સંસારનું સ્વરૂપ વિચારતા હતા–કે આ સંસારમાં વિષય સુખે એટલે પાંચ ઈન્દ્રિ દ્વારા ભગવાતા વિષે ઝેર ભેળવેલા અન્નની જેવા છે. જેમ ઝેરવાળું અન્ન ખાતી વખતે મીઠું લાગે છે, પરંતુ પછી તરત ખાનારનું મરણ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy