SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શતચિંતામણિ ભાગ બીજે] પંચ મુષ્ટિ લોચ કરતા વાળ જલધિ વિખેરતા, સિદ્ધને વાંદી કરેમિ સૂત્રને ઉચ્ચારતા, ૧૦૧ પછાર્થ –વૃષ રાશિના વખતે પાછલા પહોરે છઠ તપ કરીને સસછદ નામના વૃક્ષની નીચે સાંજના વખતે શુભ લેશ્યા ધારણ કરીને પ્રભુએ પંચમુષ્ટી એટલે પાંચ મુઠીઓ વડે કરીને, માથાના ને દાઢી મૂછના સઘળા વાળને લોન્ચ કર્યો. તે વાળને ઈન્દ્ર મહારાજે પોતાના ખેસના છેડામાં ગ્રહણ કરીને સમુદ્રની અંદર નાંખ્યા. લોચ કરીને પ્રભુએ “નમો સિદ્ધાણું” એ પદ વડે સિદ્ધોને નમસ્કાર કર્યો. પિતે અરિહંત હેવાથી તીર્થકર અરિહંતને નમસ્કાર કરતા નથી પણ સિદ્ધોને નમસ્કાર કરે છે. ત્યાર પછી કરેમિ સામાઈયં ' એ સૂત્રને ઉચ્ચાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. તીર્થકરે કેઈની પાસે ચારિત્ર ગ્રહણ કરતા નથી અથવા બીજા કોઈને પિતાના ગુરૂ બનાવતા નથી. પરંતુ પિતે પિતાની મેળે જ દીક્ષા ગ્રહણ કરે છે. તેથી ચારિત્ર લેતા “ કરેમિ ભંતે સામાઈય' એ પદમાંના ભંતે શબ્દને ઉચ્ચાર કરતા નથી. કારણ કે તે પદ અરિહંત રૂપ અર્થને જણાવનારું છે. ૧૦૧ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉપજે છે તે પ્રસંગે ઈજે કરેલી સ્તુતિ પાંચ ગાથાઓ વડે જણાવે છેસહસ નૃપની સાથે ધરતા દ્રવ્ય જિન ચારિત્રને, નાણુ શું પામતા હરિ સંથણે નમી નાથને પૂર્વ ભવ વૈરાગ્ય કેરા તીવ્ર અભ્યાસે કરી, આપે અહીં તે સંગ્રહ્યા તસ એકતા જામી ખરી. ૧૦૨ સ્પષ્ટાર્થ –વ્યજિન એવા શ્રી અજીતનાથે ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કરતાંની સાથે પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. કારણ કે એવી શાશ્વતી મર્યાદા છે કેતીર્થકરેને ચારિત્ર ગ્રહણ કરે કે તરત જ મન:પર્યવ જ્ઞાન ઉપજે છે. તે પહેલાં આ જ્ઞાન ઉપજતું નથી. કારણ કે બીજા જ્ઞાન તે મુનિવેષ હોય અથવા ન હોય તે પણ થાય છે. ને આ ચોથું જ્ઞાન તે મુનિષવાળાને જ થાય છે. પ્રભુને ચોથું જ્ઞાન ઉપર્યું ૧ જિનના ચાર પ્રકાર છે-૧ નામજિન ૨ સ્થાપના જિન, ૩ દ્રવ્ય જિન, ૪ ભાવ જિન. ૧. અભાવ વગેરે તીર્થકરોના નામ તે નામજિન, ૨. તેમની પ્રતિમા તે સ્થાપના જિન. ૩ તીર્થ - કરના છે જ્યાં સુધી કેવળજ્ઞાન પામ્યા નથી, ત્યાં સુધી તે દ્રવ્ય જિન કહેવાય અને તેણે ગયેલા તે તીર્થકરના જીવો પણ દ્રવ્યનિ કહેવાય. અને ૪ ઘાતી કર્મ ખપાવી કેવલીપણે વિચરતા તીર્થક તે ભાવજિન જાણવા. કહ્યું છે કે-નાના નિનામા, ટવનિના કુપ લિરિતિકાનો છે સુવિધા તિળકોવા માવળા-સારવાર | શ્રી સ્પષ્ટાર્થ સહિત શ્રી સિદ્ધચક પૂજામાં મા બીના વિસ્તારથી જણાવી છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy