SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ] ઊંચાઈ પ્રભુના દેહની ધનુ ચાર પચ્ચાસની; ઉસેધ અંગુલથી બનેલા ધનુ તણી એ માપણ. ૭૦ સ્પાર્થી--અનુક્રમે વૃદ્ધિને પામતા તે બંને કુમારે જેમ મુસાફર ગામની સીમાને એળગે તેમ પ્રથમ વય એટલે બાલ્યાવસ્થાને ઓળંગીને યુવાવસ્થાને પામ્યા. બંને કુમારે પ્રથમ સંઘયણ એટલે વજાઇષભ નારાજ નામના પહેલા સંયણુવાળા હતા. તથા સમચતુરસ્ત્ર નામના પહેલા સંસ્થાનવાળા હતા. પ્રભુના શરીરની ઉંચાઈ ચારસે પચાસ ધનુષ્યની હતી. આ માપ ઉભેધ અંગુલની ગણતરીએ બનેલા ધનુષ્ય પ્રમાણે જાણવું. ૭૦. ૧ વજીરૂષભ નારાચ સંધયાણા-હાડકાની રચના વિશેષ તે સંધયણ જાણવું. આ સંધાણ પ્રકારે છે. તેમાં પહેલું વજીરૂષભ નારાય સંધયણ સ તીર્થકર તથા ચક્રવતીઓને હોય છે. આ સંધયણુમાં નારાય એટલે મકટ બંધ હોય છે એટલે મર્કટ અથવા વદરીને તેનું બચ્ચું બંને હાથ ભરાવીને પેટે વળગી રહે છે તેવી રીતે અહીં બંને હાડકાનાં છેડાઓ મજબુત પણે એક બીજાને વળગેલાં હોય છે. આ બંને હાડકાને વીંટીને કામ એટલે પાટા સમાન હાડકું હોય છે અને નારાચના તથા ઋષભના હાડકાને વીંધીને વધુ એટલે ખીલી હોય છે. એવો મજબૂત હાડકાંને જે બંધ (રચના) તે વજઋષભ નારીચ નામનું પહેલું સંધયણ જાણવું ૧ બીજા સંજયશનું નામ ઋષમ નારા છે. મામાં પહેલા સંધની જેમ ખીલી સિવાય બધું હોય છે. ૨ ત્રીજા નારાચ સંધયણમાં એટલે મર્કટ બંધ જ હોય છે. ૩ ચેથા અર્ધ નારાચમાં એક બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ ખીલી હોય છે. પાંચમા કાલીકા સંધયણુમાં બંને હાડકાંને જોડનાર ખીલી હોય છે. ૫ અને છઠ્ઠા છેવટ્ઠા સંવઘણુમાં હાડકાં માહે માંહે અડીને રહેલા હોય છે. આનું બીજું નામ લેવાત પણ છે. આ એ સંધયો ઓરિક શરીરવાળા ને જ હેય છે પણ બીજા શરીરવાળાને ન હય, કારણ કે બીજા શરીરમાં હાડહેતાં નથી. ૨ સંસ્થાન એટલે શરીરનો આકાર. તેના છ પ્રકારઃ-૧ સમચતુર એટલે જેના ચાર કે સરખા હોય છે. અથવા સવળા અવયવ પ્રમાણોપેત, શુભ લક્ષણ યુકત હોય, અથવા ૧૦૮ આગળ પ્રમાણુ જેનું માપ હેય. ૨ બીજું ન્યોધ પરિમંડલ સંસ્થાન ન્યગ્રોધ એટલે વડ, વડનો ઉપરનો ભાગ જેમ ઘટાદાર હોય છે તેમ જે શરીરનો નાભિની ઉપરનો ભાગ શુભ લક્ષણોપેત હોય અને નીચેનો હીન હેય તે. ત્રીજું સાદિ સંસ્થાન. આદિ એટલે નાભિની નીચેનો ભાગ શુભ લક્ષણે પેત હોય અને ઉપરનો ભાગ લક્ષણ હીન હોય છે. આનું બીજું નામ સાચી છે. ચોથું વામન સંસ્થાન એટલે મસ્તક વગેરે અવયવ શુભ પ્રમાણસર હોય છે. પાંચમું કર્જ સંસ્થાન જેમાં હાથ પગ પ્રમાણોપેત અને છાતી ઉદરાદિ હી હોય તે, છઠું હુંક એટલે સધળા અવયવ અશુભ હેય તે. - ૩ સૈધાંગુલ, આત્માગુલ અને પ્રમાણમુલ એમ આંગુલના ત્રણ પ્રકાર છે. તેમાં પહેલું ઉભેલાં ગુલ આ પ્રમાણે અનંતા પરમાણુ મળીને ૧ ત્રસરણ થાય છે. ૮ ત્રસરેણુને ૧ રથરેણ. ૮ રથરેણુએ ૧ વાલા. ૮ વાલા ૧ શિક્ષા. ૮ વિક્ષાએ ૧ યુકા ૮ યુકાએ એક યુવ. અને ૮ યેવે એક ઉત્સધગુલ થાય છે. જીવન શરીરનું પ્રમાણ આ ઉત્સધગુરથી થાય છે. આ ઉપાંગુલથી ચાર ગણું જીણું અને અઢીગણું પહેલું અથવા હજાર ગણું લાબું પ્રમાણસ હોય છે. તથા આત્માગુલનું ચોકસ પ્રમાણ નથી. કારણકે જે વખતે જે તીર્થકર વિદ્યમાન હોય તેમના અગિલના પ્રમાણને આત્માગુલ કહેલ છે. વીર પ્રભુને આત્માગુલ ઉત્સાંગુલથી બમણ કહે છે. દરેક તીર્થંકરની પિતાના અગ્રલના માપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy