SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ * [ શ્રી વિજયપધરિકૃતમોહની મદિરા સમું મૂંઝાવનારૂં જીવન, કૃત્ય તેમ અકૃત્યને ભૂલાવનારૂં મૂઢને ભેદ દર્શન મેહની ચારિત્ર મોહની બે કહ્યા, અનુક્રમે ત્રણ પચ્ચીશ ભેદે સર્વ અઠ્યાવીસ લહ્યા. ૧૬૮ સ્પષ્ટાર્થ–હવે ચેથા મેહનીય કર્મનું સ્વરૂપ કહે છે –હિનીય કર્મને મદિર અથવા દારૂના જેવું કહ્યું છે. તેની જીવને મુંઝવવાનો સ્વભાવ છે. જેમ દારૂ પીનારને પિતાના હિત અહિતનું ભાન રહેતું નથી, તેમ મોહનીય કર્મના ઉદયવાળા મૂઢ જીવને કૃત્ય એટલે કરવા લાયક કાર્યમાં અને અકૃત્ય એટલે નહિ કરવા લાયક કાર્યને વિષે મુંઝવણ થાય છે, એટલે કરવા લાયક કાર્યને નહિ કરવા લાયક માને છે. અથવા પિતાના હિતકારીને અહિત કરનાર માને છે, અને અહિત કરનારને હિત કરનાર માને છે. આ મોહનીય કર્મના મુખ્ય બે ભેદ કહ્યા છે. ૧ દર્શન મેહનીય અને ૨ ચારિત્ર મિહનીય. જે દર્શન અથવા સમકિત તેમાં મુંઝાવે અથવા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ ઉપર અશુદ્ધપણાની બુદ્ધિ કરાવે, તે દર્શન મોહનીય જાણવું. તેના ૧ સમક્તિ ૨ મેહનીય મિશ્ર મોહનીય અને ૩ મિથ્યાત્વ મેહનીય એમ ત્રણ ભેદ જાણવા. બીજા ચારિત્ર મેહનીયના ૧૬ કષાય અને ૯ નેકષાય એમ પચીસ ભેદે જાણવા. બંનેના મળીને મોહનીય કર્મના કુલ ૨૮ ભેદે જાણવા. ( વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિથી જાણવું.) ૧૬૮ મેહનીય આ કર્મ આત્મિક દષ્ટિને ભૂલાવતું; - ભલભલાને દેઈ લાલચ સાધ્યથી જ ચૂકાવતું; પણ ચેતનારા ધર્યવંતા ભાવિ ભદ્ર વિચારતા, - દેઈ થપ્પડ મોહને મુક્તિ રમા સુખ પામતા. ૧૬૯ સ્પષ્ટાર્થ ––આ ચોથું મેહનીય કર્મ આત્મિક દ્રષ્ટિ એટલે આત્માના ગુણ તરફની દ્રષ્ટિને (ભાવનાને) ભૂલાવે છે. અથવા મૂઢ જીવ આત્માને ભૂલીને પૌગલિક પદાર્થોમાં રમણતા કરનાર બને છે. તેથી કરીને ભલભલા એટલે મોટા પુરૂષોને પણ તે મોહનીય કર્મ લાલચમાં નાખીને સાધ્ય એટલે જે પ્રાપ્ત કરવાનું આત્મકલ્યાણ તેમાંથી ચૂકવે છે. છતાં પણ જેઓ પૈર્યવાન અને ચેતનારા છે. અથવા મોહનીયનું સ્વરૂપ જાણ્યું હોવાથી તેમાં ફસાતા નથી તેવા મનુષ્ય પિતાના ભવિષ્યના કલ્યાણનો વિચાર કરે છે. અને મેહનીય કર્મને થપ્પડ દઈને એટલે મેહનીય કર્મનો નાશ કરીને મેક્ષરૂપી સીના સુખને પામે છે. ૧૬૯ હે જીવવિષય કષાય બંને મેહના વશ ના થજે, આ આસક્ત ભમતા ભવ વિષે નિસંગ સુખ શાંતિ ભજે, મહિલ નેમિ જંબૂ શૂલીભદ્ર વાદિક તણું, . દૃષ્ટાંત ભાવી જન બને ના દાસ જેવા મહના ૧૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy