________________
દેશનાચિંતામણિ ]
૩૬૧ દેવે કરે તસ સેવના વળી નગર રૂપે બને,
ગિરિ બને ઘરરૂપ સાપ વિશાળ પણ માળા બને; હરિ જે સિંહ તિમ પાતાલ છિદ્ર સમું બને,
હથિયાર પંકજ પત્ર જેવું ગજ શિયાળ સમ બને. ૪૬
અર્થ-સાચું બોલનારની દેવે પણ સેવા કરે છે. વળી તેની આગળ ભયંકર વન હોય તે પણ શહેર જેવું બની જાય છે. ગિરિ એટલે પર્વત હોય તે ઘર રૂપ થાય છે એટલે આશરો આપનાર થાય છે. માટે ભયંકર સાપ હોય તે પણ ફૂલની માળા રૂપ થાય છે. એટલે સર્પ તેને કોઈ નુકસાન કરી શકતો નથી. સિંહ હોય તે હરણ સરખો થાય છે એટલે સિંહ પણ તેની આગળ હિંસક ભાવ છેડી નરમ બની જાય છે. પાતાલ એટલે મોટું ઉડાણ હોય તે છિદ્ર જેવું એટલે ન્હાના ખાડા સરખું થાય છે. હથિઆર હોય તે પંકજ પત્ર એટલે કમળના પાંદડા જેવું સુકોમળ થઈ જાય છે. અને હાથી પણ શિયાળ સમાન રાંક થઈ જાય છે. ૪૯૬
અહીં અતિચારથી અલગ રહેવું વિગેરે જણાવે છે – પાંચ અતિચારે તજીને સત્ય વ્રતને પાળીએ,
સંપૂર્ણ સાચું બોલનારા ગુણી તણા પદ વંદીએ; સત્યમાં સમ્યકત્વ કેરે વાસ જાણી સર્વદા,
પ્રિય મિત અને હિત વેણ વદીએ ટાળીએ સહિ આપદા. ૪૯૭
અર્થ:–આ સત્ય વ્રતને વિષે (1) સહસા ભાષણ (૨) રહસ્ય ભાષણ (૩) સ્વદારામં. ત્રિભેદ (૪) મૃષા ઉપદેશ ને (૫) કૂટ લેખ એ પાંચ અતિચારનો ત્યાગ કરવો. તે પાંચ અતિચાર આ પ્રમાણે – સહસા ભાષણ એટલે વગર વિચારે કોઈને દુઃખ થાય તેવું બોલવું નહિ. ૨ રહસ્ય ભાષણ એટલે કે ઈને છાની વાત કરતાં જોઈ તમે રાજ્ય વિરૂદ્ધ અમુક વિચાર કરે છે એમ કહેવું ૩ સ્વદારા મંત્ર ભેદ એટલે સ્ત્રી વિગેરેની છાની વાત પ્રગટ કરવી. ૪ મૃષા ઉપદેશ એટલે કેઈને દુઃખમાં નાખવા પેટે ઉપદેશ આપ. ૫ તથા કૂટ લેખ એટલે બેટા લેખ અથવા દસ્તાવેજ લખવા. એ પ્રમાણે પાંચ અતિચારોને ત્યાગ કરીને આ સત્યવ્રતનું પાલન કરવું. તથા શ્રાવકેએ સંપૂર્ણ સાચું બોલનારા જે ગુણવંત મુનિ મહારાજ તેમના ચરણમાં હંમેશાં વંદના કરવી. આ સત્ય વ્રતમાં સમકિત ગુણ રહેલું છે એમ જાણીને હંમેશાં બીજાને ગમે તેવું અને ખપ પૂરતું તથા સામાને હિતકારી વચન બોલવું એમ કરવાથી સઘળી આપત્તિઓ દૂર થાય છે. ૪૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org