________________
હે જીવ! સત્તર પાંચ પંચાણુ ગણું બે છૂટના, લાવે પટેલ દુઊણ રૂપિયા સો કહી માયા તણ કાર્યો કરી બેસી બજારે કેગ વસુ કહી વેદને, લક્ષ્મી ઘણું તે મેળવી પણ કર્મ ના તજશે તને, હે જીવ! શત્રુ મિત્રમાં સમભાવ કયારે જાગશે?, ઘાસમાં રમણ વિષે સમભાવ કયારે જાગશે ? પથર વિષે સોના વિષે સમભાવ કયારે જાગશે ?, મણિમાં અને માટી વિષે સમભાવ કયારે જાગશે?. માલા વિષે ને સર્પમાં સમભાવ કયારે જાગશે ?, માનમાં અપમાનમાં સમભાવ કયારે જાગશે ?; મેક્ષમાં સંસારમાં સમભાવ કયારે જાગશે ?, પ્રભુ વીર કેરા નામમાં લયભાવ કયારે જાગશે ?, હે જીવ! સુકૃત કાર્યને અનુમોદજે ને પાપને, ગર્વજે પ્રભુ સિદ્ધ સાધુ ધર્મ કેરા શરણને; નિત્ય અંગીકાર કરજે એહ ત્રણના સાધનો, તથા ભવ્યત્વાદિ કારણ પામીએ હેજે અને. હોય દફત નાશ તેથી સાધના શુભ ધમની, તેહથી ભવ નાશ હોવે એહ વાણી વીરની; તું અનાદિ ભવ અનાદિ ભવ ભ્રમણ તુજ કર્મથી, કર્મના રાગાદિ કારણ તેહ વિણસે ધર્મથી. દેવ ગુરૂ ને ધર્મનું શરણું મલે પ્રતિદિન મને, તિમ મહાવ્રત સાધવા દઢ ભાવના પ્રસરે મને, હવે અચાનક મરણ મારું જે કદી આ રાતમાં, દેહાદિ ત્રિવિધ વોસિરાવું તે રહી શુભ ધ્યાનમાં
નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસમાં શા. મણીલાલ ડગલાલે છાપ્યું.
ઘીકાંટાડ, નેવેલી સીનેમા પાસે? : અમદાવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org