________________
જેમણે આ ગ્રંથ છપાવ્યો તે શેઠ. જેસીંગભાઈ હેમચંદ.
અમદાવાદ ચંગપળ મેદીની ખડકીના રહીશ. શેઠ જેસીંગભાઈ હેમચંદ અવિછિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનના અનન્ય ઉપાસક છે. વિક્રમ સંવત ૧૯૩૮ ના શ્રાવણ સુદિ ૯ મે તેમનો જન્મ થયો હતો. તેમના માતુશ્રીનું નામ શિવકુંવર હતું. તેમને એક ચીમનલાલ નામે ભાઈ તથા ત્રણ બહેન હતાં, તેમાં ચીમનલાલભાઈને (૧) રતીલાલ (૨) રમણલાલ (૩) ચંદુલાલ. (૪) શાંતિલાલ (૫) નવીનચંદ્ર એમ પાંચ પુત્રો છે. તેમાંના વડીલ પુત્ર રતીલાલને શતિષચંદ્ર નામે પુત્ર છે, શેઠ જેસંગભાઈના પિતાશ્રી શેઠ હેમચંદભાઈ જ્યારે સ્વર્ગસ્થ થયા, ત્યારે શેઠ જેસીંગભાઈની ઉંમર પંદર વર્ષની હતી, જાત મહેનત, મલતાવડા સ્વભાવ, અને ઉંચી કોટીના ધાર્મિક સંસ્કારને લઈને પોતાના કુટુંબને શ્રી જિન ધર્મના ઘોરી રસ્તે પ્રગતિમાન કરી રહ્યા છે, અને તેને લઈને તેઓ નિરાંતે ધર્મસુખમય જીવન ગુજારે છે, કેળવણી પ્રત્યે તેમની ઉંચ ભાવના હોવાથી ભાઈ રતીલાલને આગળ અભ્યાસ કરવા માટે ઈંગ્લાંડ તથા યુરોપ તરફ મોકલ્યા હતા. શેઠ જેસીંગભાઈના નાનપણથી જ ધાર્મિક સંસ્કાર સારા હેવાથી હાલ પણ તેઓ પરમ ઉલ્લાસથી ધર્મારાધન કરે છે. તેમનાં સધર્માચારિણું મેંઘીબેન પણ ભદ્રિક અને ધર્મિષ્ટ હતાં. તેમણે વિસં. ૧૯૭૦ ની સાલમાં શ્રીયણ તીર્થને સંઘ કાઢયે હતો. અને ત્યાં ધાર્મિક ક્રિયાઓ ઘણાજ ઉત્સાહ અને આડંબર પૂર્વક ઉજવવામાં આવી હતી. વળી તેમણે શ્રીસમેતશિખર વિગેરે મહાતીર્થોની યાત્રાને પણ અપૂર્વ લાભ લીધો છે. તથા વિ. સં. ૧૯૮૦ માં બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. શેઠ જેસીંગભાઈ શ્રીજૈન દશાપોરવાડ કલબમાં પેટ્રન મેમ્બર છે. હાલ તેમની બે પેઢીઓ ચાલે છે. તેમાં એક પાંચકુવા કાપડ બજારમાં શા. ચીમનલાલ જેસીંગભાઈના નામથી અગીયા તથા રેશમી સાડીઓની દુકાન અને બીજી દુકાન સ્ટેશન રોડ પર ધી ગુજરાત ટે મોબાઈલના નામ પર ચાલે છે શેઠ જેસીંગભાઈને શ્રીનવપદજીની ઓળી ઘણાં વર્ષોથી ચાલુ છે. તેમના ધર્મનેહી શા. ઈશ્વરદાસ મૂલચંદની પ્રેરણાથી નવપદમય શ્રી સિદ્ધચક તપના ઉદ્યાપન નિમિત્તે શેઠ જેસીંગભાઈએ આ શ્રીદેશનાચિંતામણિ ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાની મારફત છપાવી છે તે તેમના હાથે ખપી જીવને આપવામાં આવશે. શેઠ જેસીંગભાઈની માફક બીજા પણ શ્રીજિનશાસન રસિક શ્રાવકે આવા ધાર્મિક કાર્યોમાં સ્વલક્ષમીને સદુપયેગ કરે.
શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org